________________
બંધના પ્રકારો ૮૧
- પૂર્વના કર્મ સાથે બીજી નવી આવેલી કાર્મણવર્ગણા-કર્મ ચોંટી જાય છે. તેનું કારણ પરમાણુઓમાં ચિકાશ હોય છે, તેથી પરસ્પર ચોંટી જાય છે. તે કેટલા જોસથી ચોટે છે? એવો પ્રશ્ન થાય, તો તો તેનો જવાબ એટલો જ કે, તે સમયે જેવું યોગસ્થાનક, તેટલા જોસથી ચોટે છે. જુસ્સાવાળું યોગસ્થાનક હોય, તો જોસથી ચોટે છે. અને ઓછા જુસ્સાવાળું યોગસ્થાનક હોય, તો ઓછા જોસથી ચોટે છે. આ બાબતનો ચોક્કસ નિર્ણયોવાળો વિચાર આગળ ઉપર કરીશું.
પ્રશ્નો ૧. આપણા આત્મામાં આંદોલન ન થતું હોય, તેવી દિવસની કેટલી
મિનિટો જતી હશે ? ૨. આત્મપ્રદેશો સાંકળની માફક જોડાયેલા છે, તે શા ઉપરથી જાણવું? ૩ અને સાંકળ માફક જોડાયેલા હોવાથી, તેનું શું પરિણામ આવે છે? ૪. જે સમયે આત્મપ્રદેશો સાથે કામણવર્ગણા મિશ્ર થાય, તે સમયે બીજા દરેક સમય જેટલી કાર્મણવર્ગણા આવી હોય, તેટલી હોય કે
ઓછીવત્તી હોય ? ૫. દરેક આત્મપ્રદેશોથી એકસરખી કાર્મણવર્ગણા ગ્રહણ થાય, કે ઓછી
વધતી? ને તેનું કારણ સમજાવો. ૬. કામણવર્ગણા જૂનાં કર્મો સાથે ચોટે, તે કેવા જોરથી ચોટે? અને તેનું
કારણ શું? ૭. આત્મપ્રદેશો કાર્મણવર્ગણાને કેટલે દૂરથી ખેંચે ? ને આત્મપ્રદેશોમાં
એ ખેંચવાની તાકાત ક્યાંથી આવી? ૮. પ્રદેશબંધ : એ શબ્દોમાંના “પ્રદેશ' શબ્દનો આ પાઠમાં શો અર્થ કર્યો
છે? પ્રદેશબંધ શબ્દનો અર્થ સમજાવો ?