Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 213
________________ ૧૮૮ કર્મ-વિચાર ભાગ-૩ ' નામ ફળ ૧. મતિજ્ઞાનાવરણીય મતિજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૨. શ્રુતજ્ઞાનાવરણીય શ્રુતજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૩. અવધિજ્ઞાનાવરણીય અવધિજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૪. મન:પર્યાયજ્ઞાનાવરણીય મન:પર્યાયજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૫. કેવળજ્ઞાનાવરણીય કેવળજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. આ પાંચ કર્મો જ્ઞાનાવરણીય કહેવાય છે, કેમકે તેઓ જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. આવરણ એટલે ઢાંકવું તે. જ્ઞાન એટલે પદાર્થમાં રહેલા વિશેષધર્મને જાણવાની આત્મામાં રહેલી શક્તિ. તે વાત આગળ આવી ગઈ છે. તે શક્તિને ઢાંકનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ. અંતરંગવિચારના પહેલા પાઠમાં જ આપણે શીખી ગયા કે, આપણને છેવટમા છેવટની હદ સુધી જ્ઞાન થઈ શકે છે. જે જ્ઞાનના જાણવા બહાર જગતની કોઈપણ વસ્તુ ન રહે, તેને કેવળજ્ઞાન કહે છે. તમારા આત્મામાં આવી જ કેવળજ્ઞાનની શક્તિ છે. પણ તે કેવળજ્ઞાન એક જાતનાં કર્મોથી ઢંકાયેલું હોય છે, તેનું નામ કેવળજ્ઞાનાવરણીય કર્મ છે. કેવળજ્ઞાનાવરણીય કર્મથી આત્માની જ્ઞાનશક્તિ ઢંકાય છે, છતાં ઘણીખરી જ્ઞાનશક્તિ ઉઘાડી પણ રહે છે. જેના બળથી જીવ આખા વિશ્વનું તો જ્ઞાન ન કરી શકે પણ મનના વિચારો જાણી શકે અથવા જેટલી રૂપવાળી વસ્તુઓ જગતમાં છે, તે ગમે ત્યાં હોય પણ તેનું જ્ઞાન કરી શકે છે. તેથી એકનું નામ મન:પર્યાયજ્ઞાન અને બીજાનું નામ અવધિજ્ઞાન કહેવાય છે. આ બન્ને જ્ઞાનને આચ્છાદન કરનાર કર્મનાં નામો અનુક્રમે મન:પર્યાયજ્ઞાનાવરણીય અને અવધિજ્ઞાનાવરણીય છે.

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330