SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ કર્મ-વિચાર ભાગ-૩ ' નામ ફળ ૧. મતિજ્ઞાનાવરણીય મતિજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૨. શ્રુતજ્ઞાનાવરણીય શ્રુતજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૩. અવધિજ્ઞાનાવરણીય અવધિજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૪. મન:પર્યાયજ્ઞાનાવરણીય મન:પર્યાયજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. ૫. કેવળજ્ઞાનાવરણીય કેવળજ્ઞાન નામની જીવની જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. આ પાંચ કર્મો જ્ઞાનાવરણીય કહેવાય છે, કેમકે તેઓ જ્ઞાનશક્તિ ઉપર આવરણ કરે છે. આવરણ એટલે ઢાંકવું તે. જ્ઞાન એટલે પદાર્થમાં રહેલા વિશેષધર્મને જાણવાની આત્મામાં રહેલી શક્તિ. તે વાત આગળ આવી ગઈ છે. તે શક્તિને ઢાંકનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ. અંતરંગવિચારના પહેલા પાઠમાં જ આપણે શીખી ગયા કે, આપણને છેવટમા છેવટની હદ સુધી જ્ઞાન થઈ શકે છે. જે જ્ઞાનના જાણવા બહાર જગતની કોઈપણ વસ્તુ ન રહે, તેને કેવળજ્ઞાન કહે છે. તમારા આત્મામાં આવી જ કેવળજ્ઞાનની શક્તિ છે. પણ તે કેવળજ્ઞાન એક જાતનાં કર્મોથી ઢંકાયેલું હોય છે, તેનું નામ કેવળજ્ઞાનાવરણીય કર્મ છે. કેવળજ્ઞાનાવરણીય કર્મથી આત્માની જ્ઞાનશક્તિ ઢંકાય છે, છતાં ઘણીખરી જ્ઞાનશક્તિ ઉઘાડી પણ રહે છે. જેના બળથી જીવ આખા વિશ્વનું તો જ્ઞાન ન કરી શકે પણ મનના વિચારો જાણી શકે અથવા જેટલી રૂપવાળી વસ્તુઓ જગતમાં છે, તે ગમે ત્યાં હોય પણ તેનું જ્ઞાન કરી શકે છે. તેથી એકનું નામ મન:પર્યાયજ્ઞાન અને બીજાનું નામ અવધિજ્ઞાન કહેવાય છે. આ બન્ને જ્ઞાનને આચ્છાદન કરનાર કર્મનાં નામો અનુક્રમે મન:પર્યાયજ્ઞાનાવરણીય અને અવધિજ્ઞાનાવરણીય છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy