________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૯
આકૃતિના વર્ગ પાડીએ તો અસંખ્ય વર્ગ પડી શકે. પરંતુ એમ વર્ગીકરણ કરતાં કરતાં આ કર્મશાસ્ત્રમાં ઉપયોગી થાય તેવા છ પ્રકારોમાં દરેક ભેદોપેટા ભેદોનો સમાવેશ કરીને આ કર્મનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ સૌથી ઉત્તમ સંસ્થાન કેવું હોય, તે બતાવીને સર્વથી હલકામાં હલકું કેવું હોય, તથા તેની વચ્ચેના બીજા જાણવા જેવા ઉપયોગી ભેદો બતાવીને નીચે પ્રમાણે છ પ્રકારો પાડવામાં આવે છે.
૯૨. ૪૪. ૧. સમચતુરગ્નસંસ્થાનનામકર્મ–સમ=સરખાં. ચતુર ચાર. અગ્નઃખૂણા. સંસ્થાન=આકૃતિ. એટલે પર્યકાસને પલાંઠી વાળીને બેઠા પછી ડાબા ઢીંચણથી જમણા ખભા સુધી. ૨. જમણા ઢીંચણથી ડાબા ખભા સુધી. ૩. બે ઢીંચણ વચ્ચેનો ગાળો. ૪. પલાંઠી વખતના પગના બને નળાના સંજોગથી લલાટ સુધી, એ ચારેયનું અંતર સરખે માપે થાય એવી શરીરની રચના હોય, તે સમચતુરગ્નસંસ્થાન કહેવાય. તેનું પ્રેરક કર્મ તે સમચતુરગ્ન સંસ્થાનનામકર્મ. આવા પ્રકારની જેના શરીરની આકૃતિ હોય, તે ઉત્તમોત્તમ આકૃતિ કહેવાય. આથી ઉત્તમ આકૃતિ જગતમાં બીજી કોઈ નથી જ. આવી આકૃતિ હોય, તેનું શરીર અને તેના બીજા અવયવો વગેરે બરાબર સુરેખ સુંદર આકારવાળા અને બરાબર માપસર હોય. આ બધાં માપ અને આકૃતિઓ રેખાઓ વગેરેનું વર્ણન કરનારું સામુદ્રિકશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું છે. પોતાના આંગળથી બરાબર ૧૦૮ આંગળ શરીર ઊંચું હોય, છાતી પણ બરાબર તે જ માપે હોય, છાતીમાં કૌસ્તુભ હોય, હાથપગનાં તળિયાં લાલ હોય વગેરે અનેક સંપૂર્ણ શુભલક્ષણલક્ષિત દેહલતા આ સંસ્થાનવાળાને હોય છે.
૯૩. ૪૫. ૨. ચઝોધપરિમંડલસંસ્થાનનામકર્મ–ન્યગ્રોધ એટલે વડ, પરિમંડળ એટલે ઘેરાવો. ન્યગ્રોધના પરિમંડળ જેવું સંસ્થાન તે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાન, અને તેનું પ્રેરક કર્મ તે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાનનામકર્મ. વડનું થડ એટલું બધું સુંદર નથી હોતું પરંતુ તેના ઉપર ઘટા હોય છે, તેથી દૂરથી વડની સુંદરતા લાગે છે. આ ઉપમાથી બીજા | સંસ્થાનનું સ્વરૂપ આપણા ખ્યાલમાં ઉતારવાનો શાસ્ત્રકારોએ પ્રયત્ન કર્યો છે, તેથી એ સંસ્થાનનું નામ પણ એવી રીતે ઉપમાનગર્ભિત શબ્દોથી રૂઢ