Book Title: Karm Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Shrutratnakar

View full book text
Previous | Next

Page 288
________________ કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૬૩ નવી આવેલી તૈજસ્ અને કાર્મણ સાથે થાય, તથા તૈજસ્કાર્મણના મિશ્રણ સાથે મિશ્રણ થઈ જાય. પછી આવેલી નવી ઔદારિકવર્ગણાનો સંબંધ પ્રથમની ઔદારિક સાથે, તે જ વખતે નવી આવેલી તૈજસ્ અને કાર્પણ સાથે અને છેવટે તૈજસ્ કાર્યણના એકાકાર મિશ્રણ સાથે એકાકાર થાય છે. ઉપર પ્રમાણે જ વૈક્રિયશરીરવાળાને અને આહારકશરીરવાળાને માટે સમજી લેવા. ૭૩. ૨૫. ૮. વૈક્રિય-વૈક્રિયબંધનનામકર્મ ૭૪. ૨૬. ૯. વૈક્રિય-વૈજબંધનનામકર્મ ૭૫. ૨૭. ૧૦. વૈક્રિય-કાર્યણબંધનનામકર્મ ૭૬. ૨૮. ૧૧. વૈક્રિય-તૈજસ્-કાર્યણબંધનનામકર્મ ૭૭. ૨૯. ૧૨. આહારક-આહારકબંધનનામકર્મ ૭૮. ૩૦. ૧૩. આહારકતૈજસ્-બંધનનામકર્મ ૭૯. ૩૧. ૧૪. આહારક-કાર્મણબંધનનામકર્મ ૮૦. ૩૨. ૧૫. આહારક-તૈજસ્-કાર્યણબંધનનામકર્મ દેવનારકને ઔદારિક સાથેના ચાર બંધનને બદલે આ ચાર વધારે હોય છે. એટલે કુલ સાત બંધન તેને પણ હોય છે. ચાર બંધનનાં પ્રેરક આ ચાર કર્યો છે. ચતુર્દશ પૂર્વધર જ્યારે આહારકશરીર બનાવે ત્યારે આ ચાર જાતનાં બંધનોનો સંભવ ઉત્પન્ન થાય છે. એટલે તે પણ સાત થાય છે. તે વખતે આ કર્મ આ ચાર બંધનોમાં પ્રેરક થાય છે. જો આ બંધનનામકર્મ ન હોય, તો શરીરની વર્ગણાઓનું પરસ્પર એકાકાર મિશ્રણ ન થાય. એટલે રેતીના લાડુની માફક પવનનો ઝપાટો લાગતાં જ શરીર વેરાઈ જાય અથવા પાણીનો દરેડો પડતાં ગળી જાય. પરંતુ તેમ બનતું નથી, તે આ કર્મને લીધે. ૬. સંઘાતનનામકર્મ સમ્ ઉપસર્ગ હન્ ધાતુ ઉપરથી સંઘાતન શબ્દ બને છે. તેનો અર્થ

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330