________________
ર૫ર કર્મ-વિચાર ભાગ-૩
વપરાયો છે.
તિર્યસ્થિતિમાં રહીને જીવન ગાળનારાં પ્રાણીઓની પરિસ્થિતિ તે તિર્ય ગતિ કહેવાય છે. જેમકે–પોતાનો જીવનવ્યવહાર તિર્મગુ રહીને ચલાવવો, જંગલમાં કે અમુક સ્થળોમાં રહેવું. અમુક જાતના ખોરાકથી નભાવવું, શરીરની અમુક એક ચોક્કસ આકૃતિ ધરાવવી વગેરે.
આ પરિસ્થિતિમાં આત્માને જવાની પ્રેરણા કરનાર કર્મ તે તિર્ય ગતિનામકર્મ છે. બીજી એક ખૂબી તો એ છે કે, આ તિર્યમ્ શબ્દ લગભગ ઘણી જાતનાં પ્રાણીઓને લાગુ પડશે. ગાય, ઘોડા, હાથી વગેરે મોટાં પ્રાણીઓ પોતાનો વ્યવહાર તિર્યમ્ સ્થિતિમાં ઊભા રહીને ચલાવતાં આપણે જોઈએ છીએ, તેવી જ રીતે વાઘ, વરુ વગેરે જંગલી પ્રાણીઓ પણ. પક્ષીઓ પણ એવી જ રીતે આડા રહીને જીવન ચલાવે છે. પાણીમાં રહેલાં માછલાં, મગરમચ્છ પણ એમ જ રહે છે. આપણી પેઠે પેટ, છાતી, માથું વગેરે ઊંચા રાખીને નથી રહેતાં. તેના તે અવયવો જમીન તરફ હોય છે, એટલે તેમનું શરીર લગભગ લંબાઈમાં આડું હોય છે. સાપ, અજગર વગેરે જુઓ, તે પણ એમ જ જણાશે. તમને કેટલાંક વાંદરાંઓને તેમાંથી જુદા પાડવાનું મન થશે. પરંતુ તેઓ પણ ઘણી વખત પોતાનો જીવનવ્યાપાર આડા ચાલીને જ કરતા હશે. ત્યાંથી આગળ વધીને કીડી, મકોડા, વીંછી, અળસિયાં વગેરે કીડાઓ તરફ વળશો, તો તેમાં પણ તેઓ આપણને તિર્યગ્ર રહીને પોતાનું જીવન ચલાવતા માલૂમ પડશે. માટે આ તિર્ય શબ્દ એ વર્ગનાં સર્વ પ્રાણીઓની સમાન પરિસ્થિતિ સૂચવવા માટે પૂરતો છે. અને બીજી પરિસ્થિતિ કરતાં જુદો પણ પડે છે. દેવો, નારકો અને મનુષ્યો ઊભા ચાલે છે. અર્થાત્ એકંદર તેઓ પોતાનો ઘણોખરો જીવનવ્યવહાર છાતી, પેટ, મોં વગેરે અવયવો જમીન તરફ ન રાખતાં સામી દિશા તરફ રાખીને ચાલે છે. તેઓ કરતાં તિર્યંચ પ્રાણીઓ આ તિર્યપણાથી ખાસ કરીને જુદા પડે છે. અને એ ત્રણમાંથી દેવો દિવ્ય પરિસ્થિતિથી જુદા પડે છે. મનુષ્યો મનનની શક્તિથી જુદા પડે છે. નારકો નારક સ્થળ અને તેની ભયંકર પરિસ્થિતિથી જુદા પડે છે. માટે તે તે પરિસ્થિતિનાં નામ દેવગતિ, મનુષ્યગતિ અને નારકગતિ આપેલાં છે, તે બરાબર જણાય છે. આ રીતે સકર્મક પ્રાણી