________________
૧૬૪ કર્મ-વિચાર ભાગ-૩
ત્યારે, પોતપોતાને સ્થાને બધા બેસી જાઓ. અને હું ઇચ્છું છું કે, હમણાં કોઈએ કેરી ચૂસવી નહીં. આપણો આજનો વિષય સમજાવવાનો વખત પૂરો થાય, ત્યાર પછી ખુશીથી બધા ચૂસજો .
રમણલાલ–મારો પણ એવો જ અભિપ્રાય હતો.
તમારા બીજા પણ વિદ્યાર્થી બંધુઓ તમારા આ અભિપ્રાયને સંમત હશે ?
હા, જી. અમે બધા સંમત જ છીએ. યોગ્ય વિચારમાં મતભેદ પાંડવો તે ઉચિત ન જ ગણાય.
ઠીક, ચાલો ત્યારે હવે આગળ ચલાવીએ. ચંપકલાલ ! આ તમારી સામે શું પડ્યું છે? એ તો કેરી છે ને. હા, હમણાં જ તમને મળી તે. તેના ઉપર કાંટા ઊગેલા છે કે નહીં? ના, જી ! તે તો સુંવાળી છે. જુઓને હાથ ફેરવે છે). કેરીમાં સુંવાળપ લીલાપણું-કૂદતા છે, તે તમે શી રીતે જાણી
શક્યા?
હાથ ફેરવવાથી. ફરી હાથ ફેરવો જોઈએ. આ ફરીથી ફેરવ્યો. કેરી કેવી લાગે છે? હજુ પણ સુંવાળી જ લાગે છે. ઠીક, આ લાકડાની પટ્ટી કેરી ઉપર ફેરવો જોઈએ. લાવો, ફેરવું. કેરી કેવી લાગે છે ? કંઈ માલૂમ પડતું નથી.