SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ કર્મ-વિચાર ભાગ-૩ ત્યારે, પોતપોતાને સ્થાને બધા બેસી જાઓ. અને હું ઇચ્છું છું કે, હમણાં કોઈએ કેરી ચૂસવી નહીં. આપણો આજનો વિષય સમજાવવાનો વખત પૂરો થાય, ત્યાર પછી ખુશીથી બધા ચૂસજો . રમણલાલ–મારો પણ એવો જ અભિપ્રાય હતો. તમારા બીજા પણ વિદ્યાર્થી બંધુઓ તમારા આ અભિપ્રાયને સંમત હશે ? હા, જી. અમે બધા સંમત જ છીએ. યોગ્ય વિચારમાં મતભેદ પાંડવો તે ઉચિત ન જ ગણાય. ઠીક, ચાલો ત્યારે હવે આગળ ચલાવીએ. ચંપકલાલ ! આ તમારી સામે શું પડ્યું છે? એ તો કેરી છે ને. હા, હમણાં જ તમને મળી તે. તેના ઉપર કાંટા ઊગેલા છે કે નહીં? ના, જી ! તે તો સુંવાળી છે. જુઓને હાથ ફેરવે છે). કેરીમાં સુંવાળપ લીલાપણું-કૂદતા છે, તે તમે શી રીતે જાણી શક્યા? હાથ ફેરવવાથી. ફરી હાથ ફેરવો જોઈએ. આ ફરીથી ફેરવ્યો. કેરી કેવી લાગે છે? હજુ પણ સુંવાળી જ લાગે છે. ઠીક, આ લાકડાની પટ્ટી કેરી ઉપર ફેરવો જોઈએ. લાવો, ફેરવું. કેરી કેવી લાગે છે ? કંઈ માલૂમ પડતું નથી.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy