Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એ જ કારણથી વી. નિ. સં. ૧૦૦૦ સુધી જૈન ધર્મના ઇતિહાસનું લેખન શ્રમસાધ્ય હોવા છતાં મુશ્કેલીઓ અને અનિશ્ચિતતાઓથી અપેક્ષાકૃત મુક્ત રહ્યું. એના વિપરીત વિ. નિ. સં. ૧૦૦૦ થી ઉત્તરવર્તીકાળનો જૈન ધર્મનો ઇતિહાસ અનેક પ્રકારની માન્યતાઓવાળા સંઘો, સંપ્રદાયો, ગણો અને ગચ્છોના ઉદ્દભવ, પ્રાબલ્ય તથા પ્રચાર-પ્રસારને કારણે મુશ્કેલીઓ તથા સમસ્યાઓથી ઓતપ્રોત રહ્યો. દેવગિણિ ક્ષમાશ્રમણના સ્વર્ગારોહણ પશ્ચાનો જૈન ઇતિહાસ અનેક રૂપોમાં વિભિન્ન આવરણો તથા આયામોમાં દેશના વિભિન્ન ભાગોમાં અગણિત વિભિન્નતાઓમાં વિખરાયેલો પડ્યો છે, તેથી આ અવધિના જૈન ઇતિહાસનું આલેખન વસ્તુતઃ અત્યંત જટિલ રહ્યું. | (દેવર્ધિ ક્ષમાશ્રમણ અને ઉત્તરવતકાળના
અમુક અજાણ્યાં તથ્યો વિક્રમની ચૌદમી શતાબ્દીના પ્રથમ ચરણમાં થયેલ આચાર્ય પ્રભાચંદ્રએ આ તથ્યને પ્રગટ કર્યું હતું કે - “વી. નિ.ના ૧000 વર્ષ પશ્ચાતુના અથવા અંતિમ પૂર્વધર આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પશ્ચાતુનાં પાંચ-સાતસો વર્ષનો જૈન ધર્મનો ઇતિહાસ વિસ્કૃતિના અંધકારમાં વિલીન થઈ ચૂક્યો છે. આ જ કારણ છે કે, એ પાંચ-સાતસો વર્ષોની અવધિના જૈનઇતિહાસથી સંબંધિત, ના તો કોઈ શૃંખલાબદ્ધ તથ્ય ઉપલબ્ધ થયા, ન તો કોઈ વિકીર્ણ તથ્ય.”
આચાર્ય હેમચંદ્ર વડે, પરિશિષ્ટ પર્વ' નામક ગ્રંથમાં લેખિત જૈન ઇતિહાસથી આગળનો ઇતિહાસ લખવાનો આચાર્ય પ્રભાચંદ્રએ દૃઢ સંકલ્પ કર્યો. એમણે પોતાના આ સંકલ્પની સિદ્ધિ માટે વર્ષો સુધી અથાગ પ્રયાસ કર્યો, પરંતુ તે પોતાની ઇચ્છાને અનુરૂપ ઇતિહાસ લખવામાં સફળ ના થઈ શક્યા. અથાગ પ્રયાસના અનન્તર ભિન્ન-ભિન્ન સમયમાં થયેલા એકવીસ આચાર્યોનાં પૂર્વાપર ક્રમવિહીન જીવનચરિત્રોને ઘણી મુશ્કેલીઓથી વિક્રમ સંવત ૧૩૩૪માં પોતાની રચના પ્રભાવક ચરિત્ર'માં લખીને એમણે સંતોષ કરી લીધો. - આચાર્ય પ્રભાચંદ્રના ઉત્તરવર્તીકાળમાં પણ જૈન ધર્મનો ઇતિહાસ લખવાના પ્રયત્નો સમય-સમય પર અનેક વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 2636969696969696969699 ૧૦ ]