________________
૧૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
આશ્રય લઈ શંકા વ્યક્ત કરે છે.
ભમરા રોઈ રણઝણઈ, મુખિ મૂકી નિસાણી
રે કાંટાલિ કેતકી, તાહરુ સિઉ વિસાસ હેમચન્દ્રના દુહામાંથી એક સ્વાભાવોક્તિનું દૃષ્ટાન્ત -
પિય સંગપિ કઉ હિંદડી, પિયહો પરોપખહો કેમ મઈ બિણિવિ વિષષ્ણસિઆ, નિંદન એમ્બ ન તેમ.
(પ્રિય-સંગમાં ક્યાંથી નિદ્રા આવે? પ્રિયનો વિયોગ હોય ત્યારે પણ ક્યાંથી નિદ્રા આવે? આમ બન્ને તરફ વિનાશ છે. નિદ્રા આમ પણ નથી ને તેમ પણ નથી.)
આ રીતે મુક્તકમાં અલંકારવૈવિધ્ય સારા પ્રમાણમાં રહેલું છે.
છંદની દૃષ્ટિએ મુક્તક માટે પ્રચલિત છંદ દુહો છે. માંડણ બંધારાએ, અખાએ, ભીમે ચોપાઈમાં મુક્તકો રચ્યાં છે. અખાએ ચારને બદલે છ પંક્તિની ચોપાઈ પ્રયોજી હોવાથી એને ભૂલથી છપ્પા નામ અપાયું છે. પણ એ છપ્પા પિંગળના છપ્પા નથી એને ષટ્રપદી ચોપાઈનું નામ આપી શકાય. અખાની પૂર્વે માંડણ બંધારાએ એવી ચોપાઈ રચી છે. અખો તો ક્યારેક છથી આગળ વધીને આઠ પંક્તિઓ સુધી ચોપાઈ લંબાવે છે. વચ્છરાજકૃત રસમંજરીમાં, શામળની વાર્તાઓમાં તથા નરભેરામની રચનાઓમાં છપ્પામાં રચાયેલાં મુક્તકો મળે છે.
અખાની ષટ્રપદી ચોપાઈમાં રચાયેલાં મુક્તકો તત્ત્વજ્ઞાનનાં કે ઉપદેશનાં હોય છે. એમાં પ્રથમ ચાર પંક્તિમાં અમુક પરિસ્થિતિ આલેખી છેલ્લાં બે ચરણમાં કાં તો કહેવત ટાંકી હોય છે. અથવા બોધ તારવ્યો હોય છે. જેમ કે,
એક મૂરખને એવી ટેવ પત્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન, એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
છંદની દ્રષ્ટિએ મુક્તકનો વિચાર કરતાં, દુહા અને સોરઠા, તે પછી ચોપાઈ, ષપદી ચોપાઈ અને છપ્પા દૃષ્ટિએ પડે છે.
મુક્તકનો એક વિશિષ્ટ પ્રકાર, સમસ્યા, ઉખાણાં કે પ્રહેલિકા છે. પ્રહેલિકાની વ્યાખ્યા આપતાં ડોલરરાય માંકડે કહ્યું છે – પ્રહેલિકા એટલે બીજાને સંદેહમાં, સંશયમાં નાખે તેવું વર્ણનીય વસ્તુનું નામ ગુપ્ત રાખવું તે.” દંડીએ કાવ્યાદર્શમાં જણાવ્યું છે કે આનંદજનક વાર્તાલાપ ચાલતો હોય ત્યારે વિનોદ ખાતર બુદ્ધિશાળીઓ