________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૧૭
પર સંસ્કૃત મુક્તકોની ઘેરી અસર છે. કેટલીકવાર તો સંસ્કૃત મુક્તકો જ કથાઓમાં અવતારેલાં હોય છે. હેમચન્દ્રના સિદ્ધહૈમમાં માત્ર દુહામાં રચાયેલાં અપભ્રંશ મુક્તકો મળે છે. તે પછી પ્રબંધચિંતામણિ (ઈ.૧૩૦૫)માં સંસ્કૃત તેમજ અપભ્રંશ બને ભાષામાં રચાયેલાં મુક્તકો મળે છે. નરપતિકૃત “નંદબત્રીસી' (ઈ.૧૪૮૯)માં સંસ્કૃત મુક્તકોના અનુવાદ તેમજ સ્વતંત્ર ગુજરાતી મુક્તકો મળે છે. “અશોક-રોહિણી રાસ' (ઈ.૧૭૩૪)માં સંસ્કૃત મુક્તકો, એનાં ભાષાંતરો, તથા સ્વતંત્ર ગુજરાતી મુક્તકો મળે છે. આમ ગુજરાતી મુક્તકો સંસ્કૃત મુક્તકોની જ આગળ વધેલી સંતતિ છે. આવા મુક્તકો વાતચીતને પ્રસંગે બોલાતાં. તેમ જ વ્યવહારને પ્રસંગે પ્રસંગોચિત મુક્તક કહેવું એ એક પ્રકારની આભિજાત્યની નિશાની ગણાતી.. સંસ્કૃત સુભાષિતમાં મોટેભાગે અનુષ્ટ્રપ વપરાતો તેમ ગુજરાતીમાં વિશેષતઃ દુહાનો પ્રયોગ થતો. હેમચન્દ્રાચાર્યે “સિદ્ધહૈમમાં જે મુક્તકો આપ્યાં છે, તે દુહામાં જ છે. | મુક્તકો બે કારણે રચાતાં. એક પ્રકારનાં મુક્તકો સુભાષિતો તરીકે રચાતાં, તો બીજા પ્રકારનાં પ્રબંધો અને કથામાં મૂકવા રચાતાં. આથી એકનાં એક મુક્તકો આપણને અનેક કૃતિમાં નજરે ચઢે છે. હેમચન્દ્રથી દયારામ સુધીના સમયગાળામાં વિપુલ પ્રમાણમાં મુક્તકો દૃષ્ટિએ પડે છે. લોકસાહિત્યમાં પણ મુક્તકોનું અનેરું સ્થાન છે.
રસદષ્ટિએ વિચારતાં હેમચન્દ્ર અને પછીના યુગોમાં શૃંગારનું નિરૂપણ ચમત્કારિક રીતે થયું છે. જેમ કે,
વાયસ ઉડાવરીઅએ, પિયુ દિઠ્ઠઉ સહસત્તિ અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફૂટ તડત્તિ
(કાગડાને ઉડાડતી પિયુવિરહથી દૂબળી થઈ ગયેલી સ્ત્રીએ ઓચિંતો એના પિયુને આવતો જોયો. એથી એની અર્ધી ચૂડીઓ (દુબળા હાથ પરથી) જમીન પર પડી અને અર્ધી પિયુને જોતાં જ એ હર્ષથી ફૂલી ગઈ એથી) ફટ કરતી તૂટી ગઈ).
“સિદ્ધહૈમમાં વીરરસનાં કરુણનાં અને શાન્તરસનાં મુક્તકો છે. એક મુક્તકમાં રણમાં માર્યા ગયેલા એક વીરસૈનિકની પત્ની એની સખીને કહે છે :
Sા દA
ભલ્લા હુઆ જો મારિયા, બહિણિ મારા કંતુ લજજે જં તુ વયંસિ સહુ, જઈ ભગ્ગા ઘરુ એન્તુ.
(હે વ્હેન ! મારા કંથે રણભૂમિમાં લડતાં લડતાં માર્યા ગયા એ સારું જ થયું, કારણ કે જો એ યુદ્ધમાંથી ભાગીને ઘેર આવ્યા હોત તો મારે સખીઓ સામે લાજી મરવાનું થાત).
મુક્તક નાનું કાવ્યસ્વરૂપ હોવા છતાં એમાં અલંકારોને સારો એવો અવકાશ રહેતો. પંદરમી સદીની નીચેની અન્યોક્તિમાં પ્રિયતમ પ્રિયતમાના સ્નેહ વિષે ભ્રમરનો