________________
ભૂમિકા ૧૫
વગેરેએ ભક્તિનાં પદો ગાયાં છે. એમાંની રાધાબાઈ વડોદરાવાસી મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હતી. સંસ્કૃત હિંસવિલાસ'ના પ્રણેતા, શક્તિ સંપ્રદાયના હંસ મીઠું અથવા મીઠુ મહારાજની શિષ્યા જનબાઈ નામે રસિક કવયિત્રી થઈ ગઈ. ઓલપાડની નાનીબાઈએ રૂપકપ્રધાન
વણઝારો' રચ્યો છે. સંત નિરાંતની શિષ્યા વણારશીબાઈનાં પદો મળે છે. પીર કાયમુદ્દીન ચિશ્તીના પંથની વોરા કવયિત્રી રતનબાઈની “કલામો’ ભક્ત કવિઓનાં ભાષા અને ભાવ વ્યક્ત કરે છે. જૈન પરંપરામાં ‘ચારુદત્તચરિત્ર' રચનાર પદ્મશ્રી સાધ્વી અને કનકાવતી આખ્યાન' રચનાર હેમશ્રી સાધ્વી થઈ ગયાં છે. પણ સમગ્ર રીતે જોતાં કવયિત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે અને એમનું પ્રદાન અલ્પ છે. એનું કારણ મુખ્યત્વે સામાજિક પરિસ્થિતિમાં જ ખોળવું રહ્યું ને?
૪. જુઓ એસ.ડી. ભરુચા. સંપાદિત Collected Sanskrit Writings of the Parsees,
I-IV
પ. જુઓ : અનંતરાય રાવળ, ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન), (૧૯૫૪) પૃ. ૨૪