SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૧૫ વગેરેએ ભક્તિનાં પદો ગાયાં છે. એમાંની રાધાબાઈ વડોદરાવાસી મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હતી. સંસ્કૃત હિંસવિલાસ'ના પ્રણેતા, શક્તિ સંપ્રદાયના હંસ મીઠું અથવા મીઠુ મહારાજની શિષ્યા જનબાઈ નામે રસિક કવયિત્રી થઈ ગઈ. ઓલપાડની નાનીબાઈએ રૂપકપ્રધાન વણઝારો' રચ્યો છે. સંત નિરાંતની શિષ્યા વણારશીબાઈનાં પદો મળે છે. પીર કાયમુદ્દીન ચિશ્તીના પંથની વોરા કવયિત્રી રતનબાઈની “કલામો’ ભક્ત કવિઓનાં ભાષા અને ભાવ વ્યક્ત કરે છે. જૈન પરંપરામાં ‘ચારુદત્તચરિત્ર' રચનાર પદ્મશ્રી સાધ્વી અને કનકાવતી આખ્યાન' રચનાર હેમશ્રી સાધ્વી થઈ ગયાં છે. પણ સમગ્ર રીતે જોતાં કવયિત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે અને એમનું પ્રદાન અલ્પ છે. એનું કારણ મુખ્યત્વે સામાજિક પરિસ્થિતિમાં જ ખોળવું રહ્યું ને? ૪. જુઓ એસ.ડી. ભરુચા. સંપાદિત Collected Sanskrit Writings of the Parsees, I-IV પ. જુઓ : અનંતરાય રાવળ, ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન), (૧૯૫૪) પૃ. ૨૪
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy