Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
અંજારિયા ભૃગુરાય દુર્લભજી – અંજારિયા હિંમતલાલ ગણેશજી
અને દીદી રચનાઓને સમાવત મખાનાર કાવ્યસંગ્રહ. ઉત્તમ અને લોકપ્રિય વાન. સંમિશ્રણમાંથી જન્મેલું રાવજીની કવિતાનું કલેવર ‘દગ્ધ ઋપિકવિ'નું છે. અહીં નગરમાં આવી પડવાથી છિનવાઈ ગયેલા ગ્રામીણ અસબબની ઝંખા છે. ક્ષયની શધ્યાગ્રત ગાના અને નિયન, દાચ બહારના જગતના થયેલા વિયાગની વેદન! છે તેમ + |-| વૈયકિનક વેદના છે. રાવજીની કવિતામાં બળ સાથે ઇદિયબળ પણ નોંધપાત્ર છે. જે વર્દી પરંપર જમા પાસું છે, તે શ"દના અર્થને પરંપરાની તરસીમામાંથી છોડાવવાની જહમત પણ છે. મૃત્યુ દળવા ઉપહારા રચતી ‘રવ. હુંશીલાલની યાદમાં', ભિન ભિન્ન મિજાજમુદાઓ અને બદલાતાં વાસ્તવ પરિમાણ બતાવતી ‘સંબંધ' અને ડારંભથી અંત સુધી ઇન્દ્રિયગત ચમત્કૃતિકોની હારમાળા સર્જતી ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' મહત્ત્વની રચનાઓ છે.
.ટા. અંજારિયા ભૃગુરાય દુર્લભજી (૬-૧૦ ૧૯૧૩, ૭ ૩ ૧૯૮૦):
સાહિત્ય સંશાધક, વિવેચક. જન્મ રાજકોટમાં. પિતા જામનગરમાં શિક્ષક તથી પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતા પિતાના અવસાનને કારણે મંટિક રાધીનું, પછી- શિક્ષણ રાજકોટમાં. ૧૯૩૫માં બી.એ. ભાવનગરની શામળદારી કોલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથ. એ જ વિષય સાથે એમ.એ.ન! આ માસ મુંબઈમાં કર્યા, પણ પરીક્ષા અધૂરી છોડી. પીએચ.ડી. માટે કવિ કાન્ત વિશે ઊંડો અભ્યાસ કર્યો, પરંતુ એ કામ પણ અધૂરું મુકાયું. તબિયતને કારણે થોડાં વર્ષ જેતપુરમાં રહી રાષ્ટ્રસેવાનાં કામ કર્યા અને થોડાં વર્ષ પીએચ.ડી.ન! અભ્યાસ મ ટે અમદાવાદમાં રહ્યા, તે સિવાય મુંબઈમાં છે નિવાસ. ખા. ગી ટયુશને!, ચિકન અકૅડમી અને સારા ગુજરાતી ભામાં (અનુકમ મંત્રી ત્યા એમાસિકના તંત્રી તરીકે) કામગીરી અને કોલેજમાં અધ્યાપનકાર્ય-એમ વિવિધ પ્રકારની ને વિક્ષપભરી વ્યાવસાયિક કારકિદી. ૧૯૭૭ માં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી અંગ્રેજીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા. અવસાન મુંબઇમાં.
સંશાધક વિદ્વાનની તીક્ષણ અદૃષ્ટિ અને સાહિત્યવિવેચકની રસજ્ઞતા તથા વિશ્લેષણશકિત ધરાવતા આ લેખકે જાણી, શદાર્થ, છંદોલય, કૃતિપાઠ, કૃતિરચના અને કર્તાજીવનના સમગ્ર અમારાક્ષત્રમાં અવિરતપણ અને ખાંતપૂર્વક કામ કર્યા કર્યું ને અનેક લેખો લખ્યા, જ ગ્રંથસ્થ ધરાર ન કર્યા. ‘કાન્ત વિશે' (૧૯૮૩) એમના, લેખક-અભ્યાસના એક અસાધારણ નમૂનો રજૂ કરતા, મરણોત્તર પ્રકાશિત લેખસંચય છે. ઉમાશંકર જોશી સંપાદિત 'કલાન્ત કવિ'માં સંઘરાયેલાં કાવ્યાના કનૃત્વના કોયડાને અપૂર્વ સજજતા ને સામર્થ્યથી ચર્ચતા સંશોધનલેખ અને અન્ય ઘણા લેખા હજુ સામયિકામાં જ રહ્યા છે. એમણે નરસિંહરાવ દીવેટિયા કૃત 'કવિતાવિચાર' (૧૯૬૯), પ્રફ્લાદ પારેખ કૃત ‘બારી બહાર” (ત્રી. આ. ૧૯૭૮) અને ‘શ્રીધરાણી અને પ્રહલાદનાં કાવ્યો' (૧૯૭૫) નું સંપાદન પણ કર્યું છે.
જ.કો.
અંજારિયા મૂળરાજ ચતુર્ભુજ, ‘ગિરધારી’, ‘ફક્કડરામ', ‘મૂળરાજ
જાડિયા’, ‘મૂલમ’, ‘રમતારામ' (૨૫-૩-૧૯૧૬) : હાસ્યકાર, કટારલેખક, નિબંધકાર. જન્મ કરછ-અંજારમાં. મંટિકયુલેટ. ૧૯૩૮ થી કલકત્તાને ‘નવરોઝ' સાપ્તાહિક (ગુજ.) માં “રમતારામ'ના ઉપનામથી લખન-યુવરાજ્યના રંભ કરી દેવચત તેમ જ વિવિધ સામકિામાં કલમે લખી. ૧૯૫૪ થી ૧૯૬૪ દરમિયાન મુંબઈ રામાચાર’ની માહિક રાવૃત્તિમાં ‘તીરછી નજરે” કૉલમ સંભાળી.
‘કે ને ટચ' (૧૯૮૫) એ એમના હાર્યજનક ટુકાઓના સભ્ય છે. સૂકમ હારી કરતાં રશૂળ હાય ઉપહાસ વ્યકત કરતા આ પુસ્તકને જાતીન્દ્ર દવેના ‘પ્રવેશક’ને લાભ મળ્યા છે. ‘લાકડાના લાડુ' (૧૯૪૯) માં વિદેશી પત્ર પત્રિકામાંથી રૂપાંતરિત કરેલા ટુચકા-પ્રસંગના સમાવેશ થયો છે. મુખ્યત્વે ટુચકા અને નિબંધકાનું સ્વરૂપ ધરાવતાં એમનાં અન્ય લખાણ: ‘આનંદ બજાર' (૧૯૫૦), ‘ગલગપાટા' (૧૯૫૩), ‘ટોળટપ્પા' (૧૯૫૩), 'ફુરસદના ફડાકા' (૧૯૫૩), ‘હસામણાં | (૧૯૫૩), ‘હારયહિડાળ' (૧૯૫૩) માં ગ્રંથરથ થયાં છે.
બા.મ. અંજારિયા મોતીલાલ ગાંગજી: ‘પ્લગન મારતા બે મોતીના હાર” (૧૮૯૮) તથા કંકોતરી, ઠંડી, નિમંત્રણ વગર કેમ લખવાં તેનું નિદર્શન કરતા ગ્રંથ ‘પત્રપ્રવેશ' (૧૯૦૩) ના કર્તા.
પ.માં. અંજારિયા હિમતલાલ ગણેશજી (૨-૧૦-૧૮૭૭, ૨૮-૧-૧૯૩૨): રાંપાદક, રાજકોટમાં જન્મ. ૧૮૯૮ માં વડોદરાથી બી.એ. થઈ ૧૮૯૯ માં ગાંડલ રાજયની કેળવણી ખાતામાં નોકરી સ્વીકારી. ૧૯૫ માં એમ.એ. થયા પછી ૧૯૮૬ થી ૧૯૩૨ સુધી મુંબઈની નગરપાલિકાની શાળા સમિતિમાં પહેલાં મદદનીશ અને પછી મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. પછીથી, નિવૃત્તિ પૂર્વના એક દસકા દરમિયાન, કર્વ કૉલેજ જ પાછળથી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તરીકે જાણીતી થયેલી તે મહિલા કોલાના સંચાલનમાં સક્રિય રહ્યા.
આજીવન અધ્યયન-અધ્યાપનમાં રત રહેલા એમણ વ્યાપકપણ ઉપયોગી નીવડે એવાં ગુજરાતીની ગદ્ય પદ્ય કૃતિઓનાં સંપાદન આપ્યાં છે. ‘દેશભકિતનાં કાવ્યો' (૧૯૬૩ ૧૯૦૫), ‘કાવ્યમાધુ' (૧૯૬૩), 'કવિતાપ્રવેશ' (૧૯૦૮), ગુજરાતી નાટકોનાં ગીતા સહિતની પ્રચલિત ગુજરાતી ગય રચનાઓના સંચય ‘સંગીતમંજરી' (૧૯૦૯), બાળકાવ્યોનો સંચય “મધુબિંદુ (૧૯૧૫), ‘પદ્યસંગ્રહ' (૧૯૨૦), ‘સાહિત્યપ્રવેશિકા' (૧૯૨૨) તથા તેની ૧૯૪૩ માં કરેલી શાલય આવૃત્તિ સાહિત્યપ્રારંભિકા', ‘ગદ્યપ્રવેશ : ૧-૨' (૧૯૩૧-૩૨), ‘પદ્યપ્રવેશ' (૧૯૩૨), 'કાવ્યસૌરભ' (૧૯૪૯) વગેરે એમનાં સંપાદન સાહિત્યરસિકોની વાનરુચિ માટે તેમ જ વિદ્યાર્થીઓને પૂરક વાચન માટે સહાયક બનેલાં છે. આ સૌમાં ૧૯ મી અને ૨૦ મી સદીના સંધિકાળની ગુજરાતી કવિતાનું પાલ્ગવની ‘ગોલ્ડન ટ્રેઝરી'ની ધાટીએ થયેલું સંપાદન 'કાવ્યમાધુર્ય' (૧૯૦૩) નોંધપાત્ર પ્રદાન
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org