Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
નામ લેતાં પંડિત મરણ આવે તેવું પડે છે. ત્યારે રામને મુક્તિમાની
પુરૂષ તરીકે લેખ્યા છે; ટાળી શક્યા નથી. આવું રામ નામનું છે.
વાલીના મરણ બાદ સુગ્રીવને ગાદી ઍપી. સુગ્રીવ અને તેની પત્ની મળ્યાં. પ્રસંગે બધા પતી ગયા. તે વખતે પ્રવેષણ પર્વત ઉપર રામ-લક્ષ્મણ વિચાર કરે છે કે સુગ્રીવે વિસરાવી દીધું! હવે શું કરશું? એ કામ કેવળ રામનું ન હતું. આખી નારી જાતિના સળંગ પ્રશ્નોની હારમાળ હતી. શબરીને ઉદ્ધાર, સુગ્રીવ પત્નીને ઉદ્ધાર અને હવે સીતાને ઉદ્ધાર !
લક્ષ્મણ કહે: “સુગ્રીવ તે કૃતગ્ન થઈ ગયા લાગે છે. ભેગવિલાસમાં પડી ગય લાગે છે. તેને ખૂબ જ ક્રોધ ચઢે છે.
રામ કહે: “ચિંતા ન કર ! બધું સારું થશે!”
સુગ્રીવને આની ખબર પડી જાય છે. અનાયાસ-આયાસ શરૂ થાય છે. લક્ષ્મણ પાસે તે આવે છે અને ક્ષમા માગે છે. રામને પગે પડે છે અને કહે છે કે વિષયવાસના એવી છે કે માણસને મદમાં ડૂબાડી દે છે.” તે વખતે રામ, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવના વિચારોને અનાયાસે યોગ થઈ જાય છે.
સખુબઈ દળતાં દળતાં ભગવાનને યાદ કરતા અને ભગવાન મદદે આવતા. ભગવાન મહાવીરને અભિગ્રહ અને યોગાનુયોગે ચંદનબાળાની એવી સ્થિતિ પણ અનાયાસ-આયાસના યોગોનું પ્રતિબિંબ પાડે છે. ગાંધીજીને પ્રસંગ :
ક્યારેક કયારેક વિશ્વને અનુબંધ એ હોય છે કે બન્ને ચાહતી વ્યક્તિઓની ભાવનાઓ એક જ રૂપે પરિણમે છે. કસ્તુરબાને ભરતી વખતે ઇચ્છા થાય છે કે મારું માથું ગાંધીજીના ખોળામાં હેય તે સારૂં ! બીજી બાજુ ગાંધીજીને ફરવા જવાની ઈચ્છા થઈ પણ પાછો વિચાર આવે છે કે “બા બિમાર છે! આજે ના ફરવા જાઉં તે !” બાની પણ ઈચ્છા હતી. આમ બન્નેને યોગ થઈ ગયે. અનાયાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com