Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
પણ જ્યારે ભરત, અયોધ્યાવાસીઓ સાથે રામને મળવા આવે છે ત્યારે ગુહને ચિંતા થઈ કે કદાચ રામને મારવા તો નહીં આવતા હેય. ત્યારે એક અનુભવી કવિ ભારની કહે છે –
सहसा विदधीत न क्रियामविवेक : परमापदांवदम् । वृणतु हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव संपदः ।।
તમે ચોકસાઈ તે કરે, ઉતાવળ ન કરે ! પૂર્વગ્રહ રાખી, શંકા અને વહેમ રાખીને ચાલશો તો કુટાઈ મરશે. સમાજમાં મોટાભાગના કલહ માટે જોવા જઈએ તો જણાશે કે તે કહે “કહેતો હતો ” અને “કહેતી–હતી” એમાંથી થાય છે. આપણે ત્યાં સુપ્રસિદ્ધ લીટીઓ છેઃ
વા વાયાથી નળિયું ખસ્યું; તે દેખીને કૂતરું ભણ્યું; ત્યાં થયો બહુ શેરબકેર, કેઇ કહે મેં દીઠ ચેર
કઈ તપાસ ન કરે કે ખરી વાત શું છે? પેલા વૃધે ગૂહને કહ્યું : “તમે હથિયાર તૈયાર રાખે પણ ખાત્રી કરીને !” એવું જ લક્ષ્મણના મનમાં હતું. તે આ વખતે બહાર નીકળી ગયું. રામ કહે છે કે ભાઈ જે કંઈ ઉચિત-અનુચિત કરવું હોય તો તે પહેલાં સ્વસ્થ મન રાખી વિચાર કરવો જોઈએ.
अनुचित उचित काज कछु होइ, समुझि करिय भलकंह सब कोइ.
એમ કહી રામ આગળ ઉપર કહે છે –“ ભરત આવે છે અને તું ધારે છે એના કરતાં કઈ બીજુ જ નીકળે તે? અને એ મારવા આવે તો શું થયું ? હું મોટો ભાઈ છું ને !”
ભરત આવે છે અને રામના પગમાં દંડવત્ ઢળી પડે છે ત્યારે બધાને સારા ભરતને ખ્યાલ આવે છે. સાથે કેકેયી પણ હોય છે. રામ પહેલાં કેકેયીના પગમાં પડે છે. ગુરૂઓને માત્ર વંદન કરે છે અને કૌશલ્યાને પછી નમે છે. તેમનામાં કેટલી બધી સમજણ હતી અને કાળજી હતી કે કૈકેયીને છેટું ન લાગવું જોઈએ ! પિતાના મનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com