Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 224
________________ [૧૭] ભારતીય સંસ્કૃતિના ચાર ગુણનું સંકલન ભારતીય સંસ્કૃતિને મુદ્દે; તેનાં પાસાંઓની છણાવટ તેમજ પાસાંઓની ઉપયોગિતા અંગે વિસ્તારથી વિચાર થઈ ચૂક્યા છે. અત્રે છેલ્લાં ચાર પાસાંઓ :-(૧) માતપુજા, (૨) શીલ-નિષ્ઠા, (૩) સત્ય અને (૪) પ્રમાણિક જવન વહેવાર એ ચાર ગુણો ઉપર વધારે વિચાર કરવાનો છે કે આ ચારેય ગુણોને વિશ્વમાં ફેલાવવા હોય તે કયા બળો દ્વારા આમ કરી શકીશું ? આજે ચેમેરથી ભારતીય સંસ્કૃતિ ઉપર આક્રમણ થઈ રહ્યું છે, ભારતમાં પણ એની સામે વિરોધી બળે ઊભા થયા છે તે તેમને શી રીતે ખાળવા; એ મુશ્કેલી છે; છતાં નિરાશ થવાની જરૂર નથી. આપણી પાસે હજુ સારાં બળે પડયાં છે. તે છે ગામડાં, પછાતવર્ગ અને નારીજાતિ. એ ત્રણ પરિબળો છેજ. પશ્ચિમમાં પણ એવાં બળ વ્યકિતગત રીતે પડ્યાં છે. માતપુજા : સર્વ પ્રથમ ભાત પૂજાને મુદ્દો પહેલાં છણીએ. અમેરિકાથી મિસ સ્લેડ નામના એક બહેન ગાંધીજી પાસે આવ્યા. પછી ધીમે ધીમે તેમને વિકાસ થયો. જો કે ગાંધીજી તેમના વડે જે કાર્યો કરાવવા માંગતા હતા તેનું સંકલન બરાબર થયું ન હતું. અંતે એ બાઈએ હિમાચલ પ્રદેશમાં “પશુ લેક” નામની સંસ્થા ઊભી કરી. કારણ કે તેમની રૂચિ મૂગાં જવાની સેવા કરવા તરફ હતી. પાછળથી એ સંસ્થા બરાબર ન ચાલતાં તેમણે એને સરકારને સોંપી. અહીં એમના જીવન અંગે ઊંડા ઊતરીને વિચાર કરવાને છે અમેરિકાથી એ બાઈ ગાંધીજીના તત્ત્વના કારણે ખેંચાઈને આવી હતી તે હતું પ્રેમ તત્વ. ખ્રિસ્તી ધર્મમાં પ્રેમ અને સેવા બે તત્ત્વો ઉપર ખૂબજ ભાર મૂકવામાં આવ્યો છે, પણ તે પિતાના અનુયાયીઓ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244