Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ર૧૪
અંતે તે બાપુએ એ પણ કાયદે ઘડ્યો કે તેઓ એવાં લગ્નને જ આશીર્વાદ આપશે જેમાં કોઈ પણ એક હરિજન હોય !
એટલે આજે જો ફરી શીલનિષ્ઠા આવી હશે તે કેવળ બ્રહ્મચર્ય કે શીલનો એકાંત ઉપદેશ આપવાથી જ નહીં ચાલે; પણ તેવું વાતાવરણ અને પરિસ્થિતિ પણ પેદા કરવી પડશે. જેથી શીલ પાલન થઈ શકે.
એવી જ રીતે ભાવપૂજા માટે પણ, સંયમી-ત્યાગી પુરુષોએ વિશ્વપ્રશ્નો લેવા પડશે; સંયમી માતાઓ દ્વારા એમના પ્રશ્નો ઉકેલવા પડશે; તેમજ એવી બહેને; જે આજીવન બ્રહ્મચારિણું રહીને સેવા કરતી હશે તેવી બહેનને તૈયાર કરવી પડશે.
સિસ્ટર (ભગિની) નિવેદિતા, મીરાંબહેન, ઓગસ્તાગ્યાતાર વગેરે સંયમમાં વિદેશી બહેને પણ મળી રહેશે. પારસી બહેનેમાં પણ મોટી ઉંમરે મૂરતીયા ન મળતાં ઘણું બહેને કુમારી રહે છે. તેમાંથી પણ એવાં બહેને મળી રહેશે. આ બધી બહેને માટે જૈન સાધ્વીઓ તેમ જ ઈસાઈ સાધ્વીએ પ્રેરણું રૂપ બની શકે કે આજીવન બ્રહ્મચર્ય પાળી શકાય છે.
થડા દિવસ પહેલાં અન્નપૂર્ણાબહેન આવ્યા હતા. તેમણે પિતાને અનુભવ બતાવતાં કહેલું કે ગાંધીજીએ તેમને મેટ્રિક પછી લગ્ન કરવાં કે નહીં, તે નક્કી કરવાનું જણાવેલું. એમના બાપુજીને ગાંધીજીએ પ્રેરણ આપેલી કે આદિવાસી બહેનેમાં સરકાર રેડાય તે માટે સંસ્થા શરૂ કરે! પણ આ સંસ્થામાં કામ કોણ કરે? અન્નપૂર્ણા બહેને તે સંસ્થા સાથે જીવન બાંધી દીધું. આજે તેઓ રાનીપરજ ખાતે આદિવાસી બહેને શિક્ષણ-સંસ્કાર આપે છે.
આમ માતપૂજા માટે હવે આખા વિશ્વની બહેનમાંથી તારવીતારવીને લેવી પડશે. એમાં દેશ-વિદેને ભેદ ભૂલો પડશે. કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com