Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫૪
હજુરીયાઓએ કહ્યું : “હશે તે અમે ચૂકવી દેશું.”
હજરત કહે : “એમ નહીં; પણ જાહેરાત કરે છે જેનું જે બાકી હોય તે લઈ જાય !”
લેણદારોમાં એક એવું પણ નીકળે કે તેણે કહ્યું: “આપે મને એકવાર ચાબુકથી ફટકાર્યો હતો, તેને બદલો આપ !”
હઝરત તૈયાર થયા. એટલે પેલે કહે: “તમે મારું શરીર ઉઘાડું કરાવ્યું હતું એટલે તમે શરીર ઉઘાડું કરે ?”
હઝરત એ પ્રમાણે તૈયાર થાય છે. બધા આશ્ચર્ય પામે છે કે હજરત શું કરે છે? પણ પેલો માણસ મારવાને બદલે તેમની પીઠને ચુંબન કરીને ચાલત થાય છે! ખરા માણસને આવો પ્રભાવ હેય છે.
હમણું અમદાવાદના એક ભાઈને કિસ્સો જાણવા મળ્યું. તેમના પિતાએ દેવાળું કાઢેલું. જે દેવું ચૂકવવા જાય તે પાયમાલ થઈ જાય. લેણદારોએ વિચાર કર્યો કે તગાદ ન કરે. તેમણે ચાર આની પૈસા લીધા અને તેને વેપાર કરવા દીધા. આ ભાઈ પાછા સાધનસંપન્ન થયા એટલે લેણદારો પાસે ગયા અને કહ્યું કે તમે બાર આની બાકી ભાગ પણ લે ! હવે હું કમાય છે!
પેલા બધા આશ્ચર્ય પામ્યા; કહેવા લાગ્યા કે અમે તે માંડી વાળ્યા છે હવે કંઈ લેવાનું નથી.
તે તેણે કહ્યું : “એ ન ચાલે ! હું જીવત છું. મારી પાસે જોગવાઈ છે પછી હું દેવું કેમ રાખું ?” સાંભળવા પ્રમાણે તેમણે પિતાનું બાકીનું દેવું ચૂકવી દીધું.
આવી કરજ ફેડવાની ભાવના હેવી જરૂરી છે. ૮ કરકસર :
આર્થિક વહેવારની પ્રામાણિકતા માટે એ પ્રશ્ન વિચારાઈ ગયો કે માણસે શા માટે હરામનું ન લેવું જોઈએ, કે બીજાનું ધ્યાન રાખવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com