Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 189
________________ ૧૭ર અન્યાય-નિવારણ આવ્યું; પછી બલિદાન આપ્યું અને અંતે અહિંસક અનાક્રમણ આવ્યું. આપણે તેને પ્રસંગે સાથે વિચારતા જઈએ. રાજસ્થાનમાં બે રાજપૂતે વચ્ચે ઘણું વખતથી વેર ચાલતું આવતું હતું. ખૂનામરકી થાય ત્યાં સુધી તેમનું ખૂન્નસ વધ્યું હતું. તેવામાં એક પ્રસંગ બન્યો. એક મોન્મત્ત હાથી દેડતે આવતો હતો. લોકો નાશ ભાગ કરતા હતા. એક છેક હાથીના પગ નીચે આવી જવાની તૈયારીમાં હતા. તેવામાં એક માણસ કે જે છોકરાના બાપને કટ્ટો દુશ્મન થતો હતો તેને ખ્યાલ આવી ગયું કે આને હમણું ઘણું નીકળી જશે. તે વખતે તેના મનમાં કંઈક સ્કૂરણ થઈ તેણે દેડીને છોકરાને ઊંચકી લીધે. પરિણામ એ આવ્યું કે બંને કુટુંબનું વેર સમાપ્ત થઈ ગયું. હવે આ પ્રસંગમાં જોઈએ કે કઈ વસ્તુએ કામ કર્યું તે કહી શકાય કે સંસ્કૃતિ: તેજ સ્કૂરણું આપે છે. સંસ્કૃતિ પ્રેમીને કદિ વિચાર નહીં આવે કે એ તે એજ લાગને છે, તે તે વિચારશે કે દુશ્મન ઉપર આફત આવે તે માટે મદદ કરવી જોઈએ! પૃથકકરણ કરશું તો જણાશે કે ઉપરનું આક્રમણ બહુ નથી લાગતું પણ અંદરને ડંખ ભારે નુકશાન કરે છે ! “સારું થયું એજ લાગને છે.” આ હિંસા-ભાવના આખા જગત સુધી પહોંચી છે, અને એના પ્રત્યાઘાત રૂપે નિરાશા વ્યાપી છે. સદ્ભાગ્યે આ ડંખ ઉપર છે. ડંખનું કારણ એ છે કે માણસે પિતાના આત્માની શક્તિને વિશ્વાસ ખોયો છે અને ભૌતિક વસ્તુ ઉપર વિશ્વાસ જેડ્યો છે એટલે શક્તિ નથી રહી. ઉપરથી સહુ મીઠું બોલે છે પણ અંદરથી ઝેર વરસાવે છે. બ્રાહ્મણોએ ડંખ રાખી નિંદા કરી! ક્ષત્રિયો મારામારી કરી અને રાજ્ય લાલસા વધારી, તે માટે લડ્યા! વૈશ્યોએ કુટિલ નીતિ આદરી! માત્ર શૂદ્ર વર્ગ બાકી રહ્યા હતા જેનામાં આ કટિલતા આવી ન હતી? પણું ગઈકાલે અન્નપૂર્ણા બહેને કહ્યું કે હવે આદિવાસી લોકો પણ દેષ તરફ વળતા જાય છે. આ તેમના સ્વભાવમાં નથી પણ બહારને ચેપ તેમને લાગ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244