Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૧
જુલ્મ આ બધી બાબતે રાજ્યએ કરી છે. એટલે પ્રતિ-આક્રમણને વિષય માત્ર રાજ્યના હાથમાં રહે, તે બરાબર નથી. એટલે દાંડ તને સામનો કરવા માટે પ્રજાએ તૈયાર થવું જોઈએ. તે માટે નૈતિક લોકસંગઠને થવાં જોઈએ. ડગલે ને પગલે રાજ્ય પાસે જઈ શકાતું નથી તે છતાં અહિંસક રીતે પ્રતીકાર થાય તેવી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. એ રીતે આ લોકસંગઠનનું કાર્ય થવું જોઈએ. એ રીતે લોકરાજ્ય આવી શકે અને પ્રજા આક્રમણથી બચી શકે. પ્રતિ આક્રમણ પણ ડંખ નહીં
પણ, આક્રમણ વૃત્તિમાં જ્યાં સામને કરવાની છૂટ આપી છે ત્યાં પ્રતિ-આક્રમણ કરવા છતાં ડંખ ન રાખવો એને પણ સ્વીકાર થયા. એટલે કે અન્યાયીના અન્યાયને દંડ મળે પણ અન્યાયી સાથે દ્વેષ ન રહે એવી ઉચ્ચ ભાવના કેળવવી; એ ભારતીય સંસ્કૃતિના અનાક્રમણ તત્ત્વની વિશેષતા છે.
રામે વાલીને વધ કર્યો પણ, તે અન્યાય-નિવારણ માટે હતો. તેમના અંતરમાં વાલી પ્રત્યે ડંખ ન હતો. એટલે મરતાં-મરતાં પણ વાલીએ પોતાના પુત્ર અંગદને રામ ચરણે સોંપ્યો.
આ ડંખ વગરના પ્રતિ આક્રમણની વાત થઈ. તેમાં પણ વિકાસ થયે; તે એક સામનો કરો તો અન્યાયનું નિવારણ કર્યા સિવાય પાછા ન ફરે ! એ માટે જોઈએ તો પોતાનું બલિદાન આપે ! અહિંસક પ્રતિ–આક્રમણ
આ ગાંધી યુગમાં નવો નિયમ આવ્યો કે અહિસાથી પ્રતિ આક્રમણ કરવું. આ વિચાર જરા ઊંડી વિચારણા માગે છે; અહિંસા દ્વારા અનાક્રમણની વાતમાં; શરીરથી આક્રમણ કરવાનું હોતું નથી. પણ એવી સ્થિતિ સર્જવાની હોય છે કે આક્રમણ કરનાર ઉપર સમાજનું વિશ્વનું દબાણ આવે અને તેને હૃદય પલટો થઈ જાય.
આમ સંસ્કૃતિમાં આક્રમણ સામે પ્રતિ આક્રમણ આવ્યું; પછી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com