Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 188
________________ ૧૭૧ જુલ્મ આ બધી બાબતે રાજ્યએ કરી છે. એટલે પ્રતિ-આક્રમણને વિષય માત્ર રાજ્યના હાથમાં રહે, તે બરાબર નથી. એટલે દાંડ તને સામનો કરવા માટે પ્રજાએ તૈયાર થવું જોઈએ. તે માટે નૈતિક લોકસંગઠને થવાં જોઈએ. ડગલે ને પગલે રાજ્ય પાસે જઈ શકાતું નથી તે છતાં અહિંસક રીતે પ્રતીકાર થાય તેવી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. એ રીતે આ લોકસંગઠનનું કાર્ય થવું જોઈએ. એ રીતે લોકરાજ્ય આવી શકે અને પ્રજા આક્રમણથી બચી શકે. પ્રતિ આક્રમણ પણ ડંખ નહીં પણ, આક્રમણ વૃત્તિમાં જ્યાં સામને કરવાની છૂટ આપી છે ત્યાં પ્રતિ-આક્રમણ કરવા છતાં ડંખ ન રાખવો એને પણ સ્વીકાર થયા. એટલે કે અન્યાયીના અન્યાયને દંડ મળે પણ અન્યાયી સાથે દ્વેષ ન રહે એવી ઉચ્ચ ભાવના કેળવવી; એ ભારતીય સંસ્કૃતિના અનાક્રમણ તત્ત્વની વિશેષતા છે. રામે વાલીને વધ કર્યો પણ, તે અન્યાય-નિવારણ માટે હતો. તેમના અંતરમાં વાલી પ્રત્યે ડંખ ન હતો. એટલે મરતાં-મરતાં પણ વાલીએ પોતાના પુત્ર અંગદને રામ ચરણે સોંપ્યો. આ ડંખ વગરના પ્રતિ આક્રમણની વાત થઈ. તેમાં પણ વિકાસ થયે; તે એક સામનો કરો તો અન્યાયનું નિવારણ કર્યા સિવાય પાછા ન ફરે ! એ માટે જોઈએ તો પોતાનું બલિદાન આપે ! અહિંસક પ્રતિ–આક્રમણ આ ગાંધી યુગમાં નવો નિયમ આવ્યો કે અહિસાથી પ્રતિ આક્રમણ કરવું. આ વિચાર જરા ઊંડી વિચારણા માગે છે; અહિંસા દ્વારા અનાક્રમણની વાતમાં; શરીરથી આક્રમણ કરવાનું હોતું નથી. પણ એવી સ્થિતિ સર્જવાની હોય છે કે આક્રમણ કરનાર ઉપર સમાજનું વિશ્વનું દબાણ આવે અને તેને હૃદય પલટો થઈ જાય. આમ સંસ્કૃતિમાં આક્રમણ સામે પ્રતિ આક્રમણ આવ્યું; પછી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244