SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ જુલ્મ આ બધી બાબતે રાજ્યએ કરી છે. એટલે પ્રતિ-આક્રમણને વિષય માત્ર રાજ્યના હાથમાં રહે, તે બરાબર નથી. એટલે દાંડ તને સામનો કરવા માટે પ્રજાએ તૈયાર થવું જોઈએ. તે માટે નૈતિક લોકસંગઠને થવાં જોઈએ. ડગલે ને પગલે રાજ્ય પાસે જઈ શકાતું નથી તે છતાં અહિંસક રીતે પ્રતીકાર થાય તેવી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. એ રીતે આ લોકસંગઠનનું કાર્ય થવું જોઈએ. એ રીતે લોકરાજ્ય આવી શકે અને પ્રજા આક્રમણથી બચી શકે. પ્રતિ આક્રમણ પણ ડંખ નહીં પણ, આક્રમણ વૃત્તિમાં જ્યાં સામને કરવાની છૂટ આપી છે ત્યાં પ્રતિ-આક્રમણ કરવા છતાં ડંખ ન રાખવો એને પણ સ્વીકાર થયા. એટલે કે અન્યાયીના અન્યાયને દંડ મળે પણ અન્યાયી સાથે દ્વેષ ન રહે એવી ઉચ્ચ ભાવના કેળવવી; એ ભારતીય સંસ્કૃતિના અનાક્રમણ તત્ત્વની વિશેષતા છે. રામે વાલીને વધ કર્યો પણ, તે અન્યાય-નિવારણ માટે હતો. તેમના અંતરમાં વાલી પ્રત્યે ડંખ ન હતો. એટલે મરતાં-મરતાં પણ વાલીએ પોતાના પુત્ર અંગદને રામ ચરણે સોંપ્યો. આ ડંખ વગરના પ્રતિ આક્રમણની વાત થઈ. તેમાં પણ વિકાસ થયે; તે એક સામનો કરો તો અન્યાયનું નિવારણ કર્યા સિવાય પાછા ન ફરે ! એ માટે જોઈએ તો પોતાનું બલિદાન આપે ! અહિંસક પ્રતિ–આક્રમણ આ ગાંધી યુગમાં નવો નિયમ આવ્યો કે અહિસાથી પ્રતિ આક્રમણ કરવું. આ વિચાર જરા ઊંડી વિચારણા માગે છે; અહિંસા દ્વારા અનાક્રમણની વાતમાં; શરીરથી આક્રમણ કરવાનું હોતું નથી. પણ એવી સ્થિતિ સર્જવાની હોય છે કે આક્રમણ કરનાર ઉપર સમાજનું વિશ્વનું દબાણ આવે અને તેને હૃદય પલટો થઈ જાય. આમ સંસ્કૃતિમાં આક્રમણ સામે પ્રતિ આક્રમણ આવ્યું; પછી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy