Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
[૧૨]
ભારતીય સંસ્કૃતિમાં પ્રામાણિક જીવન વહેવાર
ભારતીય સંસ્કૃતિનાં આઠ અંગે પૈકી સાત ઉપર અત્યાર સુધી વિચાર થઈ ચૂક્યો છે. સત્યના આચરણ માટે સત્ય કેવું હોવું જોઈએ તેમજ સાધનશુદ્ધિને આગ્રહ શા માટે હે જોઈએ તે અંગે વિચાર થઇ ગયો છે. હવે છેલ્લું પણ મહત્વનું અંગ પ્રામાણિક જીવન વહેવાર છે. સંસ્કૃતિ સુંદર તોથી સભર હોય પણ તે મુજબને જીવન વહેવાર, ન ઘડાય તે તેની વાત શબ્દોમાં જ રહી જશે. ભારતીય સંસ્કૃતિમાં પ્રામાણિક જીવનને વહેવાર, વ્યક્તિ, દંપતિ, સમાજ તેમજ રાષ્ટ્ર અને વિશ્વ એમ સર્વાગી વિચારવામાં આવ્યા છે. સત્યનું આચરણ એ પણ પ્રામાણિક વહેવાર છે તે બ્રહ્મચર્યનું પાલન એ પણ પ્રામાણિક વહેવાર છે. નર-નારીનું શીલ એ પણ પ્રામાણિક જીવનને વહેવાર છે. સંસ્કૃતિના સાતે અંગે એક યા બીજી રીતે પ્રામાણિક જીવન વહેવાર તરફ માણસને આણે છે.
નવસૂત્ર :- પણ, અહીં આપણે જે પ્રામાણિક જીવન વહેવાર અંગે વિચાર કરશું. તે છે રોજ-બ-રોજના વેપાર-વહેવાર તેમજ લેવડદેવડમાં. આર્થિક બાબતોમાં વ્યક્તિ કઈ રીતે પ્રામાણિક જીવનને વહેવાર કેળવે છે.
પ્રામાણિક જીવન વહેવાર માટેનાં નવસે નીચે મુજબ છે – (૧) વચનની પ્રામાણિકતા (૨) વિશ્વાસનીય વર્તન (૩) ઇમાનદારી (૪) બિનહકનું ન લેવું (૫) વફાદારી (૬) વેપારમાં બીજાની ચિંતા કરવી
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com