Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
શિવાજી અને મુસ્લિમબાઈ:
છત્રપતિ શિવાજી દક્ષિણના પ્રાંતમાં લડાઈ ચલાવતા હતા. ત્યારે લૂંટ મચાવવાની સાથે તેમને સંપત્તિ મળતી. એકવાર એક સિપેહલાલારે સંપત્તિ સાથે એક મુરિલમ બાઈને પણ લાવીને હાજર કરી. તે બુરખામાં હતી. શિવાજીએ તેને બુરખે હટાવ્ય. બાઈ રૂપરૂપને અંબાર હતી. યુવાન હતી તેમ જ દેખાવડી હતી. આવી સ્ત્રી પિતાના હાથમાં આવે તે માણસને કે ભાવ થાય? પણ, શિવાજીને સમર્થ રામદાસનો રંગ લાગ્યો હતો. તેમણે કહ્યું : “મારી માતા તારા જેવી સુંદર હોત તો તારા પેટે મેં જન્મ લીધે હેત તો કે સુંદર હતી?”
તેણે એ બાઈને માતા બનાવી-માનપાન સાથે તેના ઘરે મોકલાવી દીધી. ભારતની સંસ્કૃતિની જ એ વિશેષતા હતી જેના કારણે તે ટકી છે અને ભવ્ય બની છે. દુર્ગાદાસ અને ગુલેનાર :
ઔરંગઝેબને દુર્ગાદાસને વશ કરે હતું. આમ તે એ જેલમાં હતે પણ રાજીખુશીથી વશ થાય તે ઘણું કામ થઈ જાય તેમ હતું. તેની ચિંતા જોઈ તેની એક ખૂબસુરત બેગમ ગુલેનારે કહ્યું કે હું એને વશ કરીશ. બાદશાહે છૂટ આપી, એટલે તે જેલમાં ગઈ. દુર્ગાદાસ જેવો તે માણસ ન હતો. તે રૂપાળે અને દેખાવડો હતે. , બેગમે દુર્ગાદાસને કહ્યું; “દુર્ગાદાસ ! તું મને પત્ની તરીકે સ્વીકારી લે ! તારા બંધન છૂટી જશે. ઔરંગઝેબને મારી નાખે હોય તે તે પણ સરળ બનશે.” - દુર્ગાદાસ પાસે બે પ્રલોભને હતાં. એક તે ઔરંગઝેબ સાથે લડાઈ બંધ થાય અને રાજ્ય સાચા ક્ષત્રિનાં હાથમાં આવે. બીજ એ. આર્કષણ હતું કે રાતને વખત હતો, એકાંત હતું અને ખૂબસૂરત સ્ત્રી સામે હતી. પણ એને વિચાર કર્યો કે મારે એક માતા છે તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com