Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
પક્રમ પણ શીલ નિષ્ઠાથી
આમ જાણુ શકાય છે કે શીલ નિષ્ઠા કાયમ કરવા માટે સ્ત્રી તેમજ સાધુ બ્રાહ્મણએ બન્નેએ સમાજમાં વિશ્વાસ કેળવાય તેવું આચરણું કરવું જોઈએ. આવું શીલ નિષ્ઠાનું પિતાનું બળ છે; તે નવું પરાક્રમ પેદા કરે છે.
સાધુ-બ્રાહ્મણ સંત-સતી પછી સમાજમાં શીલ-નિષ્ઠાની ક્ષા કરવાને ભાર ક્ષત્રિયો ઉપર આવે છે. ખરા ક્ષત્રિયોની શીલ નિષ્ઠાની પણ ઘણી વાત આવે છે. આવી શીલ નિષ્ઠા માટે જેમ સાધુ સંતોએ એકાંત અંગે ઘણું સાવધાની રાખવી પડે છે તેવું દરેક માટે છે. આપણે ત્યાં માણસે બાળકો હોય ત્યારે કેવી રીતે વર્તવું; અને નાનાએ વડીલેની હાજરીમાં કેમ રહેવું એ અંગે ઘણું નિયમ બનાવેલા છે. જે કે મર્યાદા વગેરેના નિયમોમાં અતિશયોક્તિ આવી ગઈ છે. તે છતાં શીલ નિષ્ઠામાં અને તેના અન્વયે બ્રહ્મચર્ય પાળવામાં એક બાબત તે ધ્યાન રાખવી ઘણી જરૂરી છે, તે એક મા-બાપે પિતાના બાળકની મર્યાદા પાળવી જોઈએ. તેને એક દાખલો છે. જો કે આવા દાખલાઓમાં ઘણીવાર અતિશયોક્તિ ખૂબજ જણાય છે પણ આપણે સાર લેવાને છે. - રાજસ્થાનના રજપૂતેએ વિચાર કર્યો કે આપણે ત્યાં વનરાજ જે વીર પાકે તે? રાજસ્થાનની ઉન્નતિ થાય છે તેમણે એ ખ્યાલે વિચાર કર્યો કે તેનો બાપ તે શિખર! આ જયશિખરને લઈ જઈને કોઈ રાજપૂત કન્યા સાથે પરણાવીએ અને તેને જે પુત્ર થાય તેથી આપણે ઉદ્ધાર થાય.
ભાટ-ચારણે જ્યારે બેલાવા ગયા ત્યારે જયશિખરે પૂછ્યું : “તમે મને શા માટે લઈ જાવ છો !”
તેમણે બધી વાત કરી ત્યારે જયશિખરે કહ્યું: “પણ, વનરાજ પેદા કરવા માટે તેની મા જેવી રૂપસુંદરી સ્ત્રીઓ તમારે ત્યાં છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com