Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ત્યારે વિશાખા એનું બરાબર સમાધાન કરી આપે છે. એથી પ્રસન્ન થઈને પ્રસેનજીત રાજા તેને કહે છે કેઃ “શેઠ તમે તે મારા રાજ્યની શોભા છે !”
શેઠ કહે છે: “પણ, મારી ખરી શોભા તો મારી પુત્રવધુ વિશાખા છે.”
રાજા તેની પરીક્ષા લે છે અને પ્રસન્ન થઈને રાજ-ભગિનીનું પદ આપે છે. પિતાની પુત્રવધુને સત્કાર કરવા માટે મિગાર શેઠ ભગવાન બુદ્ધ અને રાજાની સલાહ લઈ તેને “માતા” તરીકે સંબોધે છે. નારીનું એ માતમય રૂ૫ જ જગતને કલ્યાણકારી છે. મીરાંબાઈ અને સાધુ:
પણ, એવી કલ્યાણકારી નારીમાં જ્યારે વાસનાને ઉત્તેજવામાં આવે તે તે નાગણ પણ બની શકે. વૃંદાવનમાં જીવ ગોસાંઈ પણ પવિત્ર ભકત રૂપે રહે પણ તે સ્ત્રીને સ્પર્શ ન કરે! મીરાંબાઈ તેમના દર્શન કરવા ગયા. છ ગેસાઈ કહેઃ “હું તે સ્ત્રીઓને સ્પર્શે નહીં નહીંતર મારી પૂજામાં ઊણપ આવે !”
મીરાંબાઈ કહેઃ “ગોસાંઈ! તો એમ માનતી હતી કે આ જગતમાં ગિરધર સિવાય બીજો કોઈ પુરૂષ નથી! પણ, તમે બીજા પુરૂષ નીકળ્યા. ખરા ! પુરૂષ હોય તો એક આત્મા પુરમાં રહે! શરીરરૂપી નગરમાં રહેનારૂં ચેતન આત્મા તે પુરૂષ ! બાકી બધી માયા સ્ત્રીઓ છે. જ્યાં ભેદ આવ્યું ત્યાં માયા છે !”
ગેસાઈને ખબર પડી કે મારા કરતાં પણ ચઢિયાતે આત્મા મીરાંબાઈને છે. તેમણે ઉલ્ટા એમને વંદન કર્યા કે તમે મારા ખરા ગુરણ બન્યા.
સ્ત્રીઓએ ખરી પતિભકિત તે પુરૂષોના આત્માની કરવાની છે. પણ આજે પતિભકિત રહી છે શરીરની-વાસનાની, મીરાંએ રાણુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com