Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
છે. આના પરિણામે સ્ત્રી અને પુરૂષ ત્યાં ભાગ્ય અને ભોક્તા બન્યા. એમના સંબધે શરીર પ્રધાન બન્યા. એમાંથી કૃત્રિમ સાધને ઊભાં થયાં. સ્ત્રી-પુરૂષને સંભોગ સ્વભાવિક જ છે એવું તત્વજ્ઞાન ઊભું થયું. તેમાંથી ઈર્ષ્યા-દ્વેષ ઊભાં થયાં. છૂટાછેડાની ભાવના વ્યાપક બની. તાણી તૂસીને સંયુક્ત ન રહેવું, તેથી ખર્ચ ખાવાની વૃત્તિ અને લગ્નજીવનની પવિત્રતા તેમજ એકાગ્રતા ન આવી. આથી જ મિજલસમાં સ્ત્રીઓનું સ્થાન ખરું, પણ લોકશાહી યુરોપ-અમેરિકાની વહેલી આવ્યા છતાં સ્ત્રીઓની પ્રધાનતા રાજ્યમાં ન આવી; નહીંતર કદાપિ આટલાં બધાં યુદ્ધો ન થાત. કારણ કે સ્ત્રી કદિ યુદ્ધપ્રિય નથી. યુદ્ધ સ્ત્રી માત્રને અળખામણું લાગે છે. આમ યુરોપની આર્ય શાખામાં સ્ત્રીને ઉપલક આદર રહ્યા છતાં રૂપ બજાર થઈ ગયાં.
આપણે ત્યાં વિકારને સંસ્કારવાને બદલે છેલ્લા કાળમાં સ્ત્રી પુરૂષને અલગ રાખે, સ્ત્રીને ઘરમાં રાખે, ઘુંઘટમાં રાખો અથવા શંકા-કુશંકા લાવી સજા અને પ્રાયશ્ચિત વ. સૂત્રે આપ્યાં. તેથી વિકારનું પ્રમાણ ઘટયું નહીં, ઉલ્લું વધ્યું. એટલે હવે મને વિજ્ઞાન અને બ્રહ્મચર્યના સુયોગને નવેસરથી વિચાર કરવો પડે છે. દમન, નિગ્રહ, દંડ વગેરેના બદલે નવી દ્રષ્ટિએ વ્રતો વિચારવા પડશે. માતાઓ સમાજમાં આદરપાત્ર કેમ બને ? તે ઉડાણથી જેવું પડશે. આપણું શાસ્ત્રોને પણ “માઉસંવત”ની રીતે છતાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે કસીને આધુનિક માંગને અનુરૂપ ઢબે આપવા પડશે. પુરૂષ લગ્ને કુવારે અને અનેક પત્નીઓ કરી શકે અથવા સ્ત્રી અને પુરૂષની ભૂલમાં પુરૂષની ભૂલ તરફ કૂણી નજર રહેશે ત્યાં લગી માતસમાજે ઉંચે આવી શકશે નહીં.
આ યુગે પણ નર્તકીઓ વ. રૂપે નારીઓને રાખી શકાય છે. અમૂક કોમોમાં બે પાંચ રખાતો રાખી શકે છે, આ બધું ઘરમૂળથી, માત્ર કાયદાથી નહીં, લોકોની માન્યતા રૂપે પણ બદલવું પડશે, યુરોપમાં નારી-સૌંદર્ય પૂજા છે અને અહીં પુરૂષને પ્રધાન માની તેના
અભિમાનની પૂજા પ્રતિષ્ઠા છે; તે દૂર કરવી પડશે. ગામડાંઓ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com