Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
શહેરોમાં અને સ્થળે બે જાતના ઉપાય કરવા પડશે –(૧) અનૈતિક તોને પ્રિતકાર, (૨) તથા જેટલી સ્ત્રીઓ પાછળ રહી છે તેટલી પુરૂષની કક્ષાએ તેમને સમાજ-પ્રતિષ્ઠિત કરવામાં સતત ધ્યાન રોકવું પડશે. સ્ત્રીઓ પણ મહેમાંહે, ઈર્ષા અને પુરૂષોના હાથા રૂપ બની પિતાની સ્ત્રી જાતિને હલકી પાડે છે. તેમાંથી સ્ત્રી જાતિને ઉપર લેવી પડશે. પુરૂષ સ્વદાર સંતોષી, એક પત્ની વ્રતધારી અને સંયમી વૈજ્ઞાનિક રીતે કેમ બને, તે જેવું પડશે નહીંતર, વ્રત અંતર્મુખી નહીં બને.
સામ્યવાદી શાખામાં તે નારી પિતાનું શીલ દેશને ખાતર વેચે તે તેને પણ રાષ્ટ્ર ખાતરની શહીદી તરીકે બિરદાવવામાં આવે છે. આમાં સ્ત્રી-પુરૂષ કેઈએ ન ભરમાવું જોઈએ, તેમજ ખાસ કરીને સ્ત્રીસમાજે પુરૂષથી ન શોસાવું જોઈએ. આ બધું કામ માતસમાજે રૂપી સંગઠને બનાવી, બન્ને બાજુથી કામ લેવું પડશે. તેમજ આ સંસ્કૃતિનું તે મહત્વનું અંગ આગળ વધી શકશે. જાહેર જીવનમાં સ્ત્રીઓ આગળ આવે, રાજકીય જીવનમાં આગળ આવે તેવું જગતભરમાં કરવું પડશે. ત્યારે જ સમાજમાં સાચે અનુબંધ જોડાશે. આ પાયાના કામમાં નિવકારી સ્ત્રી-પુરૂષોએ સાથે રહીને દટાવું પડશે. આથી જ મુનિશ્રી સંતબાલજી, ભાતસમાજ તથા નારી માધ્યમને ભાલનળકાંઠાથી શરૂ થયેલ પ્રગમાં ઘણું મહત્વ આપે છે.
તક મળે તે આગળ વધી શકે
પૂ. શ્રી દંડી સ્વામી : “ ભંડારનાયકના પત્ની અહીં આવેલા ત્યારે માતાઓ કયાં કયાં જાહેરમાં આગળ છે તે જાતે જેવા પ્રયાસ કરેલો. ગાંધીજીએ આ યુગે સ્ત્રી જાતિને આગળ લાવવામાં અગત્યને ચીલો પાડ્યો છે. જેથી શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત યુનેના ભારત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com