Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
શ્રી. દેવજીભાઈએ કહ્યું : શ્રીકૃષ્ણ સાન્ય માનવીરૂ બોલે છે ત્યારે પ્રભુને જુદા ગણે છે, પણ જ્યારે અર્જુનની પૂર્ણ શ્રદ્ધા જુએ છે ત્યારે પિતે જગતના પ્રભાવ-પ્રલય તરીકે બતાવે છે અને અર્જુનને જ્યારે દિવ્ય દૃષ્ટિથી એ બધું બતાવે છે ત્યારે પોતે નિરંજન-નિરાકાર પરમાત્મા અને તેનો એક નાનો ભાગ જગત છે એમ બતાવે છે.
આમ જોતાં પાંચમા, નવમા અને અગિયારમાં અધ્યાયમાં જુદાં દાં મત વ્યકત થાય છે. ખરી રીતે એ બધાને તાળો મળી રહે છે.”
શ્રી. માટલીયા : “અહંકાર હોય ત્યાં લગ્ન કર્તા બની શકાય નહીં. જ્યારે સમષ્ટિમાં વ્યક્તિ સમપિત થાય ત્યારે સમષ્ટિ તે વ્યક્તિના થાનક્ષેમની ચિંતા આપોઆપ કરે છે અને વ્યક્તિ તટસ્થ બને છે. તેથી કર્મ કરવા છતાં અનાશક્તિ જાળવી શકવાથી તે અકર્તા સહેજે બની જાય છે.
એવું પણ ઘણીવાર બને છે કે આપણું દષ્ટિએ પ્રત્યક્ષ પરિણામ ન પણ દેખાય, તેમાં કુદરતને સંકેત હોય છે અને કેટલીકવાર સમયાંતરે તે ધારેલું પરિણામ મળી જ આવે છે.
પૂ. દંડી સ્વામી : “સહેજ મિલા સે દૂધ બરાબર” એમ જે સતેને કહેવાયું છે તેમાં અનાયાસ-આયાસ અને તાદામ્ય છતો તટસ્થતાને તેમ જ ગીતા વાક્યને થે તાળે મળે છે. એટલે કે કુળની દષ્ટિ ન રહેતાં કર્મને જ આનંદ મળવાથી કર્મ દીપે છે; કર્મમાં કૌશલ્ય ઉમેરાય છે અને કર્મનું સુંદર ફળ તે તેથી આપોઆપ આવી પડે છે, છતાં તેનીયે તમા રહેતી નથી.” અનાયાસ આયાસે વિશ્વપ્રેમ :
શ્રી પુજાભાઈ : “એક ફેજદાર કુટુંબ ભૂજ જતું હતું. જદારને ગાડીમાં થોડીવાર સંપર્ક રહ્યો. તેવામાં તેમણે મને સોંપણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com