Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
કૃણ અને ગેપીને અમર પ્રેમ
શ્રી કૃષ્ણજીવનમાં ગોપીઓની વાત આવે છે. તેનો ઉંડાણથી વિચાર કરીએ તો ગોપીઓ માત્ર સ્ત્રીઓ તરીકે જ નથી; પણ તેમાં જગતનું વાત્સલ્યથી ભરેલું ભાતત્વ જોવા મળશે.
શ્રી. પુંજાભાઈએ ગાયું કે – તારી મોરલીને ભણકાર રે, કાનમાં વાગે મેહનજી, મોરલીએ કામણ કર્યું મનડાં હરી લીધાં જાણે અમૃત રસધારારે,
છોડી કુટુંબ પરિવાર,
માહ લેભ છોડયાં મેહનજી...! એમાં કેવી સુંદર ભાવ ભર્યો છે? સંસ્કૃતિની દષ્ટિએ ભારત આ બધું વિચારે છે અને ત્યારે તે વિશ્વને ભૂલતું નથી. પ્રેમને કઈ પાર નથી. તેને તો આખું વિશ્વ પાત્ર પણ નાનું પડે છે; અખિલ બ્રહ્માંડ નાનું પડે છે. વિરાટ દર્શનનું રહસ્ય પણ એજ છે. એક મુખમાં આખું વિશ્વ સમાયેલું છે.
ભાગવત કહે છે કે અમારું ઘર - આ મારું કુટુંબ એમ નહીં, તમારું ઘર આખું વિશ્વ છે. રણછોડ એટલે કે રણ+છેડ= રણછોડાવનાર લડાઈ બંધ કરાવી બધાને પ્રેમથી વિજય અપાવનાર! તેણે મેરલીથી મુગ્ધ કરીને બધાને વશ કર્યા.
મોરલી વગાડનારા તો ઘણા છે, સૂર પણ એવા ગૂજે કે ઘડીભર મસ્ત થઈ જઈએ. પણ, પેલી મેરિલીને ગાનાર કાનુડે- વ્રજમાંથી ગયો છતાં બધી ગોપીઓ હજુ એ જ સૂરમાં મસ્ત હતી; કામકાજ સૂઝતું નહીં; ત્યાં જાય ત્યાં તેમને કૃષ્ણની મેરલી સંભળાયા કરે. “નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે!” ઓધવજીએ આ જોયું અને બધાને લઇ કૃષ્ણ ભગવાન પાસે ગયા, ત્યારે કૃષ્ણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com