Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
બળવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ ત્રિજટાને કહે છે : “બસ હવે લાકડાં ભેગાં કરી દે અને ચિતા (ચેહ) ગોઠવીને સળગાવ જેથી હું બળીને આ દેહ છેડી દઉં !”
ક્યારેક એક નિરાશામાં ધૈર્ય ખૂટી જતું હેય ત્યારે અવ્યકત બળ હમેશાં મદદ માટે આવે છે. તે જ વખતે સીતાની શોધમાં આવેલા અને ઝાડમાં નાનું રૂપ કરી છુપાયેલા હનુમાનજી રામ નામાંક્તિ મુદ્રિકા નાખે છે. એક વિરહિણીને જ્યારે વિરહીનું પ્રતીક મળે છે ત્યારે તેના દિલમાં અને આનંદ પ્રગટે છે. મુદ્રિકા ઉપર રામનામ જોઈ સીતાજી વિસ્મયમાં પડી જાય છે. આમ તેમ જુએ છે. ઝાડ ઉપર હનુમાનને જુએ છે. હનુમાન તેમના મનની વાત જાણીને નીચે આવે છે; હાથ જોડીને ઊભા રહે છે.
સીતાજીના મનને આઘાત–પ્રત્યાઘાત શમી જાય છે. પછી તેઓ પૂછે છે : “રામ મને યાદ કરે છે ?”
હનુમાનજી કહે છે : “આપને યાદ ન કરે તે કોને કરે ? એટલા માટે જ તો તેમણે મને આપની ખબર કાઢભ મોકલ્યો છે. તેમની શકિતના પ્રતાપે જ હું અહીં આવ્યો છું.”
સીતા કહે છે : “ભાઈ તારામાં આટલી તાકાત છે તે તું હવે મને રામની પાસે જલદી લઈ જા !” હનુમાનજી કહે છે :
अब हिं मातु, मैं जाऊं लिवाइ ।
प्रभु आयसु नहि, राम दुहाइ । –માતા હું આપને લઈ જવાને છું. પણ મારે આપને વિધિસર લઈ જવા છે. અત્યારે હું આપને લઈ જાઉં તો સામાન્ય નીત્રિો ભંગ થશે. એ માટે પ્રભુની આજ્ઞા નથી, રામની દુહાઈ પણ છે. મર્યાલ પણ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com