Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬]
[ શ્રી અનુભવ પ્રકાશ છે, પરનો કર્તા નથી. તે વાત તેમાં આવી જાય છે. જ્ઞાનાનંદ સ્વભાવ છે. તેનો કર્તા ન હોત તો આનંદનું પરિણમન થઈ શકત નહિ.
૩૬, કર્મ - વીતરાગી દશારૂપ કાર્ય થવાનો ગુણ આત્મામાં ત્રિકાળ છે. દ્રવ્યકર્મ કે ભાવકર્મની વાત નથી. કર્મ એટલે સ્વાભાવિક કાર્ય, નિર્મળાનંદ દશારૂપી કાર્ય. પરિણમનારો આત્મા કર્તા છે, આનંદરૂપ પરિણમન તેનું કાર્ય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તે તો પર્યાય છે, તેની વાત નથી, પણ કર્મ નામનો ત્રિકાળ ગુણ છે. જેવા સમકિત, દર્શન ને જ્ઞાન આદિ ગુણો છે, તેમ કર્મ નામનો ગુણ ત્રિકાળ છે. કેવળજ્ઞાનરૂપ દશા તે કાર્ય છે. જો કર્મ ગુણ ન હોત તો આ કાર્ય થાત નહિ. આમ બતાવી પર્યાયબુદ્ધિ ઉડાડે છે ને સ્વભાવબુદ્ધિ કરાવે છે. સ્વભાવબુદ્ધિ કરે તેને આત્માનો અનુભવ થાય.
શરીર, કર્મ આદિના કાર્યની વાત નથી. આત્માને આધીન તેનું કાર્ય છે જ નહિ તેમ જ વિકારી પરિણામ થવા તે પણ તેનું કર્મ નથી. વીતરાગી પર્યાયના કર્તાનો ગુણ તેમ જ વીતરાગી પર્યાયના કાર્યરૂપે થવાનો ગુણ આત્મામાં ત્રિકાળ છે. તે ન હોય તો સ્વભાવનું કાર્ય ન થાત. અરૂપી આત્માના અસંખ્ય પ્રદેશમાં આ ગુણ રહેલો છે. આત્મામાં બધા ગુણો એકસાથે છે, પણ સમજાવવામાં ક્રમ પડે છે, ત્યાં તો ગુણો અક્રમ બધા એકસાથે પડેલા છે.
સંસારની વાતોમાં અજ્ઞાનીને ઘણો રસ પડે છે, પણ બહારના સંયોગો પોતાને હાથ નથી. લક્ષ્મી, દુકાન વગેરેમાં પોતાનું ધાર્યું થતું નથી, છતાં તેમાં રસ લ્ય છે, પણ આત્માની વાત સમજતાં કંટાળો આવે છે. બારોટ પોતાના બાપદાદાની વાત કરે તો અજ્ઞાની ખુશી થઈ જાય. અહીં ભગવાન કહે છે કે તારા આત્મામાં આટલો ખજાનો ભર્યો છે તે છે. અહીં કર્મગુણની વાત કહે છે. જડકર્મ નહિ, વિભાવરૂપી કર્મ નહિ તેમ જ સ્વાભાવિક પર્યાયરૂપી કાર્ય નહિ, પણ ત્રિકાળ ગુણ કર્મ છે તેની વાત કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com