________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૩-૩૮૪
ગાથાર્થ :
જે અસમર્થ જ હોય, રોગથી પીડાયેલો હોય અથવા વૃદ્ધ હોય, સર્વ પણ જે પ્રમાણે કહેવાયું છે, કદાચ કરવાને માટે સમર્થ ન હોય. ll૩૮all ટીકા :
यो भवेत् त्वसमर्थः प्रकृत्यैव मन्दसंहननत्वादशक्त एव यथोक्तं कर्तुं, तुशब्दस्यावधारणार्थत्वाद् रोगेण वा राजयक्ष्मादिना प्रेरितोऽतिपीडितत्वाद्यथोक्तकरणात् क्षिप्तः, 'झुरियदेहो त्ति जराजीर्णकायः अतस्तदवस्थोचितं किञ्चित् कर्तुं शक्तोऽपि सर्वमपि यथाभणितं यथोक्तं कदाचिन्न तरेन् न शक्नुयात् कर्तुं, जेशब्दो वाक्यालङ्कार इति ।।३८३।। ટીકાર્ય :
યો ભવેત્ ... વાવનાર રૂતિ | જે વળી અસમર્થ હોય=પ્રકૃતિથી જ મંદ સહનશક્તિપણું હોવાને કારણે જે પ્રમાણે શાસ્ત્રમાં કહેવાયું છે તે પ્રમાણે કરવાને માટે અશક્ત જ હોય, ગાથામાં તુ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી અશક્ત જ હોય એમ ‘જ કાર કરેલ છે અથવા રોગથી=ક્ષય વગેરે રોગથી, પીડિત હોય=અત્યંત પીડિતપણું હોવાને કારણે જે પ્રમાણે કહેવાયું છે, તે પ્રમાણે કરવાથી ક્ષિપ્ત=ભ્રંશ પામેલો હોય, ઝુરિત દેહવાળો=જરાથી જીર્ણ થયેલી કાયાવાળો હોય, આથી તે અવસ્થાને ઉચિત કંઈક કરવા માટે સમર્થ પણ યથાભણિત=જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે કરવા માટે સમર્થ ન હોય, ને શબ્દ વાક્યાલંકારમાં છે. પ૩૮૩મા ગાથા :
सो वि य निययपरक्कमववसायधिईबलं अगूहतो ।
मोत्तूण कूडचरियं, जइ जयइ तो अवस्स जई ।।३८४।। ગાથાર્થ :
તે પણ=પૂર્વગાથામાં કહ્યું એવા અસમર્થ સાધુ પણ, પોતાના પરાક્રમવ્યવસાય અને ધૃતિબળને નહિ ગોપવતા ફૂટ ચરિત્રને મૂકીને જો યત્ન કરે તો અવશ્ય સાધુ છે. Il૩૮૪ll ટીકા :
सोऽनन्तरोक्तोऽपि चेत्यस्मादन्योऽपि द्रव्याद्यापद्गतः, किं ? पराक्रमः संहननवीर्यं तस्य व्यवसायो बाह्या चेष्टा, धृतिर्मनोवीर्य, पराक्रमव्यवसायश्च धृतिश्चेति द्वन्द्वस्तयोर्बलं स्वकार्ये प्रवृत्तिसामर्थ्यं निजमात्मीयं तदेव निजकं, निजकं च तत्पराक्रमव्यवसायधृतिबलं चेति समासः, तदगूहयन् न गोपयन् न प्रच्छादयन्नित्यर्थः । कथं ? मुक्त्वा परित्यज्य कूडचरितं मायाचेष्टितं