________________
કે દમ નમઃ | ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
જે નમઃ |
શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ય પ.પૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત શ્રી સિદ્ધર્ષિગણિ કૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત
ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન
ભાગ-૩
અવતરણિકા :___ यद्येवं वर्तमानस्य पार्श्वस्थताद्यवाप्तिः, हन्त ! इदानीं नास्ति कश्चित् सुसाधुः, उद्यतविहारिणामपि ग्लानाद्यवस्थायामनेषणीयादौ प्रवृत्तिदर्शनादिति स्यादविषयविभागज्ञानां मतिविभ्रमः । अतस्तद्व्यवच्छेदार्थमाहઅવતરણિતાર્થ –
જો આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, વર્તતા સાધુને પાર્થસ્થા વગેરેની પ્રાપ્તિ થાય, તો ખરેખર હમણાં કોઈ સુસાધુ નથી; કેમ કે ઉધતવિહારીઓને પણ ગ્લાન વગેરે અવસ્થામાં અનેષણીય વગેરેમાં પ્રવૃત્તિનું દર્શન છે, એ પ્રમાણે વિષયના વિભાગને નહિ જાણનારાઓને મતિનો વિભ્રમ થાય, આથી તેના વ્યવચ્છેદ માટે કહે છે –
ગાથા -
जो हुज्ज उ असमत्थो, रोगेण व पिल्लिओ झुरियदेहो । सव्वमवि जहा भणियं, कयाइं न तरिज्ज काउं जे ।।३८३।।