________________
विषयेन्द्रियमनोऽभिसम्बन्धजन्यदर्शनजनितं सत्ताऽवा. न्तरसामान्यवद्वस्तुविषयकं ज्ञानमवग्रहः । यथाऽयं मनुष्य રૂાર | ૨૨ છે.
અવગ્રહનું લક્ષણ અર્થ –-દ્રવ્યપર્યાયસ્વરૂપી અર્થ એ વિષય, ચક્ષુ વિ. ઈન્દ્રિ અને મન, તેઓને ચારે બાજુથી, પૂર્ણ રૂપથી જે યોગ્ય સ્થાનમાં અવરિથતિ રૂપ સંબંધ, જેનાથી જન્ય જે દર્શન સન્માત્રવિષયક વિશેષશૂન્યબોધ, તેનાથી જનિત જે સત્તાના અવાંતર (પટાભેદરૂપ) સામાન્યવાળી વસ્તુને વિષય કરનારૂં જ્ઞાન “અવગ્રહ” કહેવાય છે. જેમકે, “આ મનુષ્ય ઈત્યાદિ. અહીંયાં છે કે અવગ્રહ, (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ ભેદથી બે પ્રકાર છે. ત્યાં ઉપકરણેન્દ્રિય અને પરિણત શબ્દાદિદ્રવ્ય દ્રવ્યના સંબંધ પછી પ્રથમ સમયથી માંડી અર્થાવગ્રહથી પહેલાં, સુપ્ત-મત્ત-મૂચ્છિત વિ. પુરુષની માફક શબ્દ વિ. દ્રવ્યસંબંધમાત્ર વિષયવાળે, અવ્યક્ત, જ્ઞાન રૂપ, અન્તર્મુહૂર્ત પ્રમાણુવાળે “વ્યંજનાવગ્રહ કહેવાય છે. (૧) સ્વરૂપ-નામ- જાતિ-ક્રિયા - ગુણ – દ્રવ્યની કલ્પના રહિત, સામાન્ય અર્થ ગ્રહણરૂપ “અર્થાવગ્રહ” કહે. વાય છે. (૨) ઉપરોક્ત દષ્ટાંતમાં અમનુષ્યની વ્યાવૃત્તિ રૂપ વિશેષને પ્રતિભાસ હોવા છતાં પણ નિશ્ચયિક = વ્યાવહારિક રૂપથી અવગ્રહના બે પ્રકારે હેઈ અહીં વ્યાવહારિક અવગ્રહનું દષ્ટાંત સમજવાનું છે. કેમકે, તેના પછી ઈહા વિ.ની પ્રવૃત્તિ થાય છે. અન્યથા તેમાંથી પ્રવૃત્તિ, ન જ થાય! (૨૧-૪૪૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org