________________
४०८
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ગાવી રાખો. સૂરિજીએ તેમ કરી ત્રીશ કાયમ રાખી. ત્યારથી તે સ્થળ તીર્થ તરીકે ગણાયું. જન્મકલ્યાણકના મહોત્સવમાં પ્રથમ ધોળકાના મુખ્ય શ્રાવકે જળથી ભરેલા કળશ લઈને ભગવંતને અભિષેક કર્યો. આ બિંબાસનના પાછળના ભાગમાં અતિહાસિક અક્ષરપંક્તિ પહેલાં લખી હતી. એમ લોકોમાં સંભળાય છે.
શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ ચિર કાલ સંયમ જીવન પાળી છેવટે અનશન કરીને સ્વર્ગે ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ પ્રથમ ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રની અને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલા શ્રી પંચાશક શાસની ઉપર અપૂર્વ વિદ્વત્તા ભરેલી ટીકા બનાવી છે, જે થોડાં વર્ષો પહેલાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ છપાવી હતી. આ બંને ટીકાને પરિચય આગળ જણાવીશ.
શ્રી અભયદેવસૂરિના અને શ્રી સ્તંભન પાર્શ્વનાથેના સંબંધમાં શ્રી ઉપદેશપ્રસાદને અનુસાર આ રીતે વૃત્તાંત જાણવું
આચાર્યપદથી વિભૂષિત થયા બાદ શ્રી અભયદેવસૂરિજી વિહાર કરતાં સંભારણક ગામથી ધોલકા થઈને થંભનપુરમાં પધાર્યા. ત્યાં અતિતુચ્છ આહાર કરવાથી કેદના મહારોગથી તે એવા દુ:ખી થયા કે હાથ પગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહી નહિ. એક દિવસ સાંજે સૂરિજીએ પ્રતિક્રમણ કરીને શ્રાવકોને કહ્યું કે આ રોગની પીડા બહુ થતી હોવાથી હું એક ક્ષણ પણ તે સહન કરવા સમર્થ નથી. તેથી કાલે અનશન કરીશ. તે સાંભળી શ્રાવકે ઘણા દિલગીર થયા. તે પછી તેરસની અડધી રાતે શાસનદેવીએ આવીને સૂરિજીને કહ્યું કે હે ગુરુજી ! ઊંધો છો કે જાગો છો ? ” ગુરુએ ધીમે સ્વરે કહ્યું કે “જાગું છું.” દેવીએ કહ્યું કે “ઊઠે, આ સૂતરની નવ કોકડી ઊકેલ? ” ગુરુ બેલ્યા કે “આવા શરીરે હું શી રીતે ઉકેલી શકું?” દેવીએ અવધિજ્ઞાનથી જાણુને કહ્યું કે “લાંબો કાળ જીવીને હજુ નવ અંગની વૃતિ બનાવવાનું મોટું કામ જેના હાથમાં છે તેને આ પીડા શા હિસાબમાં છે? દેવીનું વચન સાંભળીને ગુરુએ કહ્યું કે આવા શરીરે હું નવ અંગેની ટીકા શી રીતે બનાવીશ? : દેવી બોલી કે
છ મહિના સુધી આયંબિલ તપ કરે. સૂરિજીએ છ મહિના સુધી આયંબિલ તપ કર્યો, અને કઠિન શોની ટીકા બનાવીને તે ટીકાઓ પૂરી કરી. આ પછી શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયો ત્યારે ધરણેન્ડે ધોળા સર્ષનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિજીના શરીરને ચાટી નીરોગી બનાવ્યું, અને સૂરિજીને કહ્યું કે “શેઢી, નદીના કાંઠે, પલાસ (ખાખરાના ઝાડ ) ના વનમાં શ્રીયંભન પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાં ગુપ્ત રહેલી છે તેને તમે પ્રગટ કરે. ત્યાં ઓચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ દૂધ ઝરશે. તે ચિહથી તે મૂર્તિનું સ્થાન નિશ્ચયે જાણજો. સવારે સૂરિજી સંઘની સાથે ત્યાં ગયા અને ગાયને દૂધ ઝરતી જોઈને ગોવાળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org