Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 703
________________ ૬પ૪ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત " जौं पुण तयत्थसुण्ण तयभिप्पाए। तारिसागरं ॥ कीरइ य निरागार इत्तरमियर व साठवणा ॥२६॥ यत्तु तदर्थवियुक्त तदभिप्रायेण यच्च तत्करणि ॥ लेप्यादिकर्म तत्स्थापनेति क्रियतेऽल्पकालच ॥१॥ પ્રશ્નઃ નામમાં અને સ્થાપનામાં ફરક શું ? આમ પૂછનાર ભવ્ય જીવને આશય (મુદ્દો) એ છે કે “ભાવશૂન્ય દ્રવ્યમાત્રમાં જેમ નામનો વ્યવહાર કરાય છે તેમ સ્થાપનાનો પણ વ્યવહાર તે જ પ્રમાણે થાય છે. આ પ્રમાણે જો નામ અને સ્થાપનામાં કઈ પણ જાતને તફાવત ન હોય, તે બંનેને અલગ શા માટે માનવા? અને અલગ અલગ તે બે કહેલ છે. તેથી ભેદ તો હોવો જ જોઈએ, તે પ્રશ્નકાર જાણતો નથી. માટે એમ પૂછે છે કે બંનેને કયા કારણથી અલગ અલગ ગણ્યા છે? ઉત્તર : કાલની અપેક્ષાએ બંનેમાં સ્પષ્ટ રીતે ફરક માલુમ પડે છે, તે આ પ્રમાણે, જે દ્રવ્યનું (આવશ્યક વગેરેનું) જે નામ પાડીએ, તે દ્રવ્ય તે (નામ)ને આધાર ગણાય, ગોવાળને છાકો (તેનો દેહ વગેરે) અથવા શિલાનો જથ્થો વગેરે જ્યાં સુધી કાયમ રહે, ત્યાં સુધી આવશ્યક, મેરુ, જબુદ્વીપ, કલિંગ, મગધ, સોરઠ વગેરે નામ રહે છે. માટે નામ એ યાકથિક જ (દ્રવ્ય રહે ત્યાં સુધી રહેનાર) હોય અને સ્થાપના તે બંને રીતે સંભવી શકે છે. એટલે તે થોડા કાલને માટે (જરૂર હોય ત્યાં સુધી) પણ સ્થપાય અને કાયમ રહે એવી પણ હોય છે. થોડા સમય રહે, એવી સ્થાપનાનું દષ્ટાંત આ પ્રમાણે-હાલ જે અક્ષાદિ પદાર્થને આવશ્યક તરીકે સ્થાપ્યા હોય, તે અમુક સમય અથવા ક્રિયા વીત્યા બાદ ખાસ કારણસર ઇંદ્ર તરીકે કે રાજા વગેરેના સ્વરૂપે સ્થાપવામાં આવે છે. અને કાયમ રહે એવી સ્થાપનાનું સ્વરૂપ સમજવા માટે શાશ્વતી પ્રતિમા વગેરેનું દૃષ્ટાંત સમજવું. શાથતી સ્થાપના કરનાર કોઈ હોય જ નહિ, કારણ કે જે તેમ માનીએ તે શાશ્વતપણું કહી શકાય નહિ, ત્યારે સ્થાપના નિક્ષેપની બીજી રીત હોવી જ જોઈએ. તે મેં પૂર્વે જણાવી દીધી છે. આટલા વિવેચન ઉપરથી ભવ્ય છે હવે તે જરૂર સ્પષ્ટ સમજી શકશે કે ભલેને નામ અને સ્થાપનાને આધાર ભાવશૂન્ય દ્રવ્ય હોય તો પણ કાલની અપેક્ષાએ બંનેને અલગ માનવા જોઈએ જ, પ્રશ્ન : જેમ સ્થાપના થોડા સમયવાળી હોય છે, તેમ નામ પણ તેવું જ સંભવી શકે છે. કારણ કે એ તો સ્પષ્ટ દેખાય છે કે એક જ વ્યક્તિ (ગોવાળને બાલક વગેરે)ને હાલ જે નામથી ઓળખાવાય, તેને જ અમુક સમયે મૂલ નામ ફેરવીને અનેક નામથી ઓળખાવાય છે. તો પછી એમ કઈ રીતે કહી શકાય કે નામ એ યાવકથક જ હોય ? ઉત્તર : ઘણું કરીને નામ એ યાવ-કથિક હોય એમ સમજવું. અને એક જ વ્યક્તિ હયાત હોય છતાં તેને અનેક નામથી બોલાવાય એમ કેઈક વ્યક્તિવિશેષમાં જ તેવું બને છે, બધાની બાબતમાં તેવું થતું નથી. આ અભિપ્રાય તેવી બાબતની અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750