Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 728
________________ શ્રી જૈનપ્રવચન કરણાવલી (શ્રીદસૂવને સંક્ષિપ્ત પરિચય) ૬૭ અને ધાત્રી દષાદિ નિમિત્ત જ કે રોગ થયો છે વગેરે બીના સ્પષ્ટ સમજાવીને પોતાની ગુરુણીને કહ્યું કે તમે ભાષા સમિતિ સાચવી નથી, ને ધાત્રીદોષ વગેરેથી સંયમને દૂષિત કર્યું છે. તેથી તમે ઘણે કાલ ઘણું ભવમાં દુઃખી થશે. આ પ્રસંગે તે રજા સાવીના દીઘ સંસારમાં થનારા જુદા જુદા ભવાની બીના વિસ્તારથી કહી છે. આ કથા શ્રીઉપદેશ પ્રાસાદાદિમાં પણ જણાવી છે. તેનો સાર એ છે કે સાધુ-સાધ્વીઓએ બહુ જ વિચારીને હિત-મિત-પ્રિય-સત્ય વચને બોલવાં જોઈએ, પછી લક્ષ્મણા નામની રાજકુમારીની બીના વર્ણવતાં કહ્યું છે કે આ રાજકુમારીનો ભર્તાર લગ્નની ચોરીમાં જ મરણ પામ્યો, તેથી અવસરે વૈરાગ્યભાવે દીક્ષા લઈ આકરા તપ-સંયમને શુભભાવથી આરાધવા લાગી. આ રીતે ઘણે કાલ વીત્યા બાદ એક વખત તે લક્ષ્મણ સાધ્વીએ ચકલા ચકલીની મૈથુન ક્રિયા જોઈને અશુભ ભાવે વિચાર્યું કે “હું મનુષ્ય ભવે પણ જન્મરંડાપ પામી, તેથી વિષય જન્મ સુખો દીઠાં જ નહી ” થેડીવાર પછી તેને શુભ ભાવના જાગવાથી વિચાર આવ્યો કે મેં આવા અનુચિત વિચારો કર્યા તે ઠીક નથી કર્યું એમ વિચારીને આ ભૂલની ગુરુ આદિની પાસે આલેચનાદિ કર્યા વિના સ્વચ્છેદી વિચારે તે લક્ષ્મણ સાવીએ પચાશ વર્ષ સુધી સેલ માસખમણ વગેરે આકરા તપ કર્યા પણ તે લેખે આવ્યા નહીં એટલે નકામા ગયા. તેનાથી તેણે કરેલા દોષની શુદ્ધિ થઈ નહીં, તે આ સ્થિતિમાં (સશલ્ય ભાવે) મરીને ઘણે કાલ સંસારમાં ભમી. પૂર્વે થઈ ગયેલી રાશીમી વીશીના ચોવીસમા તીર્થંકરના કાલમાં થયેલા આ લક્ષમણ સાધ્વી આવતી ચોવીશીના પહેલા પદ્મનાભ તીર્થકરને તીર્થમાં કરેલા તમામ પાપકર્મો ખપાવીને સિદ્ધિપદને પામશે. પછી તીર્થકરના વનથી કેવલજ્ઞાન સુધીની બીના કહીને જણાવ્યું છે કે શ્રી તીર્થ. કરે ચતુર્વિધ સંઘના કલ્યાણને માટે તીર્થની સ્થાપના કરીને આ પ્રાયશ્ચિત્તાદિની બીના કહી છે. અંતે પુંડરીક અને કંડરીક કુમારની બીના વગેરે જરૂરી ઘણી હકીકતો ઉપદેશ દ્વારા સમજાવી છે. અન્યત્ર આ ગીતાર્થવિહાર નામના અધ્યયનનું બીજું નામ અગીતાર્થ વ્યવહાર પણ જણાવ્યું છે, આ રીતે ૬ અધ્યયને કહ્યા પછી અંતે કહેલી બે ચૂલિકામાંની (૧) પહેલી ચૂલિકાએ ૧ર પાનાં કયાં છે. તેમાં આલોચનાના દશ ભેદો, પ્રાયશ્ચિત્ત લેવાથી થતા લાભ, પ્રાયશ્ચિત્તને કરવાનો વિધિ, તેમજ નામ સ્થાપનાદિ ૪ ભેદે આલેચનાનું સ્વરૂપ વગેરે બીના કહીને અંતે આલોચના કરનાર છવની ને આલોચના કર્યા વિના મરનાર જીવની પરિસ્થિતિ, વગેરે હકીકત જણાવી છે. (૨) બીજી ચૂલિકા ૧૩ પાનામાં છે. અહીં આલોચના, પ્રાયશ્ચિત્ત, અને આરાધક વિરાધકની બીના, તથા યતના ધમદિના સ્વરૂપને સમજાવનાર સૂસઢ મુનિના ચરિત્રને જણાવતાં તેના પૂર્વભવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750