Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 722
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી એક સૂત્રોના સક્ષિપ્ત પરિચય) શ્રીના અને દ્રવ્ય સ્તવનું તથા ભાવ સ્તવનું વર્ણન, તેમજ પંચમ'ગલ મહાદ્યુતસ્કંધની (ચૌદ પૂર્વીના સાર રૂપ નવકાર મહામત્રની) હકીકત, અને ઉપધાનની તથા અનુકંપા (દયાધ)ની બીના, તેમજ દ્રવ્યપૂજાના, ને ભાવપૂજાના તફાવત વગેરે બીનાઓને સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે રાગિણી રૂકિમણીને વિરાગિણી મનાવીને સંયમના પંથે ઢારનાર શ્રીવજ઼સ્વામી મહારાજે આ પૂમાંથી શ્રીપંચમ'ગલ મહાશ્રુતસ્કંધના (નવકાર મહામંત્રના) ઉદ્ધાર કરીને અહીં' (મહાનિશીથમાં) ગાઠવ્યા હતા. (સ્થાપન કર્યાં હતા) સુશીલ સાધુઓના સંગથી ને કુશીલીયાના સંગ તજવાથી નાગિલ શ્રાવક આરાધક થઈને અનશનાદિ વિધિ જાળવીને શ્રાવકપણામાં કેવલી થઈ અતે માક્ષના અવ્યાબાધ સુખ પામ્યા, ને તે નાગિલ શ્રાવકના સુમતિ નામના ભાઈ કુશીલીયા સાધુના સંગથી એટલે તેમની પાસે દીક્ષા લઈને સયમની વિરાધના કરી અસુરમાર નિકાયમાં પરમાધામી દેવપણું ભાગવીને અંગેાલિયાપણું પામ્યા. અહીં અંડગાલિયાના વર્ણનમાં શ્રીપ્રશ્ન વ્યાકરણ નામના દશમા અધ્યયનની ભલામણ કરી છે, તે સુમતિ અંRsગાલિયાના ભવમાં ૧૨ મહિના સુધી વજ્રની ઘંટીમાં પીલાયેા. આવી આવી તીવ્ર વેદના ૨૭ વાર્ તેને ભોગવવી પડી. અનુક્રમે અનંત સ’સારમાં રઝળતાં ઘણાં દુ:ખા ભાગવીને કુશીલના સંગથી કરેલી સયમની વિરાધનાથી પહેલાં બાંધેલાં પાપકર્માંના ક્ષય કરીને મુક્તિપદને પામશે, આ હકીકતને ધ્યાનમાં રાખીને સાધુ-સાધ્વીઓએ કુશીલના સંગ કરવા નહિ, ને સુશીલ મુનિવરાદિના સંગે રહીને પરમ ઉલ્લાસથી મેાક્ષમાગની આરાધના કરવી જોઇએ. આ નાગિલ અને સુમતિની જ વધારે બીના ચાથા અધ્યયનમાં જણાવી છે આ ત્રીજા અધ્યયનમાં નમસ્કાર મહામત્રના નવપટ્ટાની મીના જણાવતાં ૬ ઉપધાનમાં દરેક ઉપધાનના દિવસેાનું પ્રમાણ કહીને તપ, ક્રિયા અને પાંચ પરમેષ્ઠિનું તથા તીર્થંકર વગેરેનું વર્ણન કર્યુ છે. તેમાં ચેાગ્ય પ્રસંગે કહ્યું છે કે દેવેન્દ્રોએ અને નરેન્દ્રોએ જે રીતે પ્રભુ શ્રીતી કરના દ્રવ્યસ્તવ ને ભાવસ્તવ કર્યાં હતા, તે પ્રમાણે શ્રાવકોએ પ્રભુની એ ભેદે પૂજા કરવી જોઇએ. પ્રભુની જલાદિકથી જે પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય, ને જે તેમની ગુણસ્તુતિ કરવી અને મુનિપણું એ ભાવપૂજા (ભાવસ્તવ) કહેવાય, સમ્યગ્દષ્ટિ શ્રાવકો અને દેશવિરતિવ ́ત શ્રાવકો દ્રવ્ય ને ભાવથી એ શેઠે પૂજા કરવાના અધિકારી છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાને વ`તા મુનિવરા ભાવપૂજાના અધિકારી છે. પૂજ્ય શ્રીતીર્થંકરદેવા દ્રવ્યસ્તવથી ચઢીયાતા મુનિપણાંની સાત્ત્વિકી આરાધના કરવારૂપ અનાર’ભાદિ ગુણાવાળા ભાવસ્તવને (ભાવ પૂજાને) પાતે અમલમાં મૂકીને એટલે આરાધીને ફરમાવે છે કે ભાવસ્તવ આરાધવાને અસમર્થ આત્માઓએ ત્રણે કાલ આઠ પ્રકારે જિન પૂજનરૂપ દ્રવ્યસ્તવ કરવુ જોઈ એ, જ્યાં ભાવસ્તવ હોય ત્યાં દ્રવ્યસ્તવની ભજના જાણવી, પણ જ્યાં દ્રવ્યસ્તવ હોય, ત્યાં ભાવસ્તવ નિશ્ચયે હાય જ. અહી ભાવસ્તવની દ્રવ્યસ્તવથી વિશિષ્ટતા જણાવવા માટે કહ્યું છે કે એક માણસ મેરુ પર્વતના For Private & Personal Use Only Jain Education International ૬૭૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750