Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 697
________________ ૬૪૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત (અર્થના) સાધનો લભ્ય ને મુદ્રિત પણ છે. આ નિયુક્તિઓનું રહસ્ય નિક્ષેપ-અનુગમ અને નાના સ્વરૂપને સમજવાથી જ જાણી શકાય છે. આવા અનેક મુદ્દાઓથી તે દશ નિર્યુક્તિઓમાં કહેલી નિક્ષેપ વગેરેની ગહન (સમજવામાં કઠીન) બીનાઓને સમજવાનું અસાધારણ સાધન આ અનુયાગદ્વાર સૂત્ર છે. અહીં ઉપક્રમની બીના બહુ જ વિસ્તારથી સમજાવીને નિક્ષેપ, અનુગમ અને નાનું સ્વરૂપ મધ્યમ પદ્ધતિએ (બહુ વિસ્તારથી નહિ, ને બહુ ટૂંકામાં પણ નહિ, આ રીતે) વર્ણવ્યું છે. (૧) દૂર રહેલા શાસ્ત્રના રહસ્યને જે નજીકમાં લાવીને ટૂંકામાં કહેવું એટલે શાસ્ત્રની સંપૂર્ણ બીનાને ટૂંકામાં પ્રસ્તાવનાદિ રૂપે જે જણાવવી તે ઉપક્રમ કહેવાય, આ રીતે ચાર અનુયોગોનું યથાર્થ વર્ણન કર્યું છે. આવી રીતે જે શાસ્ત્રના ઉપક્રમ જણાવ્યો હોય, તેના જ નિક્ષેપાનું વર્ણન કરાય, આ મુદ્દાથી ઉપક્રમની પછી નિક્ષેપને કહ્યો છે, જેના નિક્ષેપા કહ્યા હોય, તેને જ અનુગમ થાય, ને જેને અનુગામ થયો હોય, તેમાં જ નાના વિચારો જણાવી શકાય, આ મુદ્દાથી ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, અને નય આ કમે જ ચાર અનુયોગ જણાવ્યા છે. (૨) જે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવથી પદાર્થને વિચારવા તે નિક્ષેપ કહેવાય. (૩) નિક્ષેપો જણાવીને સૂત્રને અર્થની સાથે જે સંબંધ જોડે એટલે આ સુત્રને આ રીતે આ અર્થ થાય છે, એમ જે કહેવું તે અનુગામ કહેવાય. (૪) દરેક પદાર્થમાં જુદી જુદી અપેક્ષાએ અનેક ધર્મો રહે છે, છતાં તેમાંના એક ધર્મને જે સ્વીકારે તે નય કહેવાય. સૂત્રના અર્થને જણાવ્યા બાદ છેવટે નયોની બીના કહેવાય છે. આ શ્રી અનુગદ્વાર સૂત્રમાં (૧) કાવ્યની દષ્ટિએ ઉપયોગી વીરરસ વગેરે નવ રસની હકીકત દૃષ્ટાંતો સાથે ટૂંકામાં જણાવી છે. તેમજ સાત સ્વરોના વનમાં દરેક સ્વરનાં નામ અને સ્થાન કહીને તે સ્વરને બોલનારા જીવોના નામ તથા જે વાજિત્રમાંથી જે સ્વર નીકળે તે હકીકત, તેમજ સ્વરનાં લક્ષણો, ત્રણ ગ્રામ, ર૧ મૂઈના, સ્વરનાં ઉત્પત્તિસ્થાન, જાતિ ગેયના ગુણે વગેરે પદાર્થોનું વર્ણન તથા સામાસિક, તદ્ધિત વગેરે પદ્યાનું પણ વર્ણન કર્યું છે. આ સૂત્રની ચૂર્ણિમાં સ્વરના ત્રણ ગ્રામ વગેરેના અર્થો કહીને આ બીનાનું મૂલસ્થાન પૂર્વેના ભેદ રૂપ સ્વર પ્રાભત જણાવ્યું છે. કેટલાક વિદ્વાને માને છે કે શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ આ અનુયોગદ્વાર સત્રની વિક્રમ સંવત બીજા સૈકામાં રચના કરી, એમ સંભવે છે. ? આ શ્રી અનુગદ્વાર સુત્રનાં અથધક ત્રણ સાધન છે, તેમાં (૧) શ્રી જિનદાસગણિ મહત્તરે રર૩પ શ્લોક પ્રમાણુ ચૂણિની રચના કરી હતી. (૨) તે ચૂણિના આધારે યાકિની મહત્તરાસનું શ્રી હરિભદ્રસૂરિ મહારાજે લઘુ ટીકા બનાવી હતી. (તે બંને પાઈ છે.) (૩ચણિ અને હારિભદ્રીય લઘુ વૃત્તિ વગેરેના આધારે માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે પ૮૦૦ શ્લોક પ્રમાણ મટી ટીકા બનાવી, તે પણ છપાઈ છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રને સંક્ષિપ્ત સાર પૂર્ણ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750