Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 665
________________ ૬૧૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સુધર્યા નહીં, ત્યારે તે આચાર્ય તેવા થિી અલગ થઈને આત્મહતને સાધવા લાગ્યા. આથી શિષ્યોના ભાવી હિતને બહુજ ધકકે પહો . આ પ્રસંગે ગળિયા બળદનું દષ્ટાંત કશિષ્યોમાં ઘટાવીને તેમના ગૌરવ, (રસગારવ વગેરે ત્રણ) કે, ભિક્ષા લેવા જવામાં આળસ, ઢષ, કલેશ વગેરે દુર્ગણેનું વર્ણન કર્યું છે. અંતે હિતશિક્ષા આપી છે કે આત્મહિતેષુ શિષ્યએ ભવસમુદ્રથી તારનાર, દેવનું ને ધર્મનું સ્વરૂપ સમજાવનારા, પરમોપકારી શ્રી ગુરુ મહારાજ નારાજ થાય એવું કંઈ પણ કામ કરવું જ નહિ. કારણ કે જેમાં રાજા પ્રજાની ઉપર નારાજ થાય, તો પ્રજાનું હિત બગડે ને પ્રધાન જે નારાજ થાય તો રાજાનું હિત બગડે, તથા જ્ઞાતિનો નાયક જે નારાજ થાય તો આખી જ્ઞાતિનું હિત બગડે, તેમજ કુટુંબનો નાયક જે નારાજ થાય તો આખા કટુંબનું હિત બગડે; તેમ સંઘના ને સાધુસમુદાયના નાયક શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષોનું મન પોતાની ઉપર લગાર પણ નારાજ ન થાય તે રીતે શિવેએ વર્તવું જોઈએ. તેમણે સમજવું જ જોઈએ કે તેઓ (શ્રી ગુરુમહારાજ ) આપણને તારવાની બુદ્ધિથી જ કડવાં કે મીઠાં વચનોથી હિતશિક્ષા ફરમાવે છે, માટે આપણે તે પ્રમાણે વત જોઈએ, વ્યાજબી જ છે કે બાળકને નીરોગી બનાવવાની લાગણીથી કડવું ઔષધ પણ માતાજ આપશે, વૈઘ પણ કદાચ કડવી દવા આપે, તેમાં પણ તેમની ભાવના રેગીને આરોગ્ય પમાડવાની જ હોય છે. જેઓ દેખાવમાં તો સર્ષની જેવા કર અને બાલવામાં તલવારની ધાર જેવા કઠોર વેણ બોલતા હોય, પણ જેમના હદયમાં શિનું હિત કરવાની મીઠી લાગણી જ નિરંતર વર્તે છે, આવા ઉત્તમ ગુરુઓ પ્રબેલ પુણ્યોદયેજ શિષ્યોને મળે છે. કોઈ વખત એવું પણ બને છે કે શ્રીગુરુ મહારાજ શિષ્યોને હિતશિક્ષાઓ ફરમાવે, પણ જેમ તાવનું જોર વધતાં ખાવાની રૂચિ ન થાય, તેમ ભારેકમી શિષ્યોને તે હિતશિક્ષાઓ રુચતી નથી, ને તેઓ તે પ્રમાણે ચાલતા પણ નથી. આ પ્રસંગે ગાસને ઉદેશીને જણાવ્યું છે કે ઉન્માર્ગે જતાં શિષ્યાને સન્માર્ગે વાળવામાં જ ગુરુપણાની યથાર્થ સાર્થકતા ( સફલતા) છે, એમ ગુરુએ પણ જરૂર યાદ રાખવું જ જોઈએ. સીધા માર્ગે ચાલનારા શિષ્યોને તો સાચવનારા ઘણાં ગુરુઓ દેખાય છે. શ્રીઆચાર્યાદિ મહાપુરુષોએ પણ જ્યાં સુધી બની શકે, ત્યાં સુધી છેવટે શાંતિ અને પ્રેમ ભરેલાં વચનોથી પણ પોતાના શરણે આવેલા વિધાસુ શિષ્યને કે સઘને હિતમાગે એડવાની તીવ્ર લાગણી કે દયા દીલમાં જરૂર રાખવી જ જોઈએ. ને સમજવું જોઈએ કે છા૨ કછોરું બને, પણ ઉત્તમ માબાપ તો તેનું ભલું જ ચાહે, મોરની શોભા પીછાથી ને પીંછાની શોભા મોરથી હોય છે. અહીં પીંછા જે શિષ્ય સમુદાય જાણો, ને મોર જેવા વડીલે સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750