________________
૫૧૮
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ક્ષેત્રલબ્ધિના બે ભેદ–૧, અક્ષણમહાનસીલબ્ધિ અને ૨ અક્ષીણમહાલયત્વલબ્ધિ. શ્રી ગૌતમ મહારાજાને અક્ષણમહાનસીલબ્ધિ પણ હતી. આ લબ્ધિના પ્રભાવે તેમણે ડી ખીરથી પણ ૧૫૦૦ તાપસને જમાડ્યા હતા.
હાલિક ખેડુતને પ્રસંગ, પૂર્વ સંસ્કારોનું પ્રાબલ્ય પ્રારંભમાં કહ્યા પ્રમાણે શ્રી ગૌતમ મહારાજે જે સિંહને મરતી વખતે નવકારમંત્ર સંભળાવી આથાસન આપ્યું હતું, તે સિહ મરીને અત્યારે ખેડૂત થયો હતો. તેને જોઈને પ્રભુ શ્રીવીરે કેવલજ્ઞાનથી જાણ્યું કે જે કે મેં ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં આને મારેલ હોવાથી મારી ઉપર તેને દ્વેષ છે, તો પણ તેનો હું ઉદ્ધાર કરું. એટલે પ્રભુએ ગૌતમ ગણધરને કહ્યું કે “હે વત્સ! આ સામે ખેતરમાં ખેડ કરતા ખેડૂતને પ્રતિબોધ કરવા જ! ? એટલે ગૌતમસ્વામીએ ત્યાં જઈ તેને ઉપદેશ આપ્યો અને તેને દીક્ષા દીધી. પછી તેને સાથે લઈને શ્રી ગૌતમ ગણધર પ્રભુની પાસે આવ્યા. પ્રભુને જોતાંની સાથે જ છેષ જાગવાથી વેષ મૂકીને તે ખેડૂત ચાલે ગયે.
અહીં સંસ્કારનો સિદ્ધાંત સમજવા જેવું છે. જેવા સંસ્કાર આ ભવમાં પડ્યા હોય તેવા સંસ્કાર લઈને જીવ ભવાંતરમાં જાય છે. પાછલા ભવમાં સંયમાદિની આરાધનાના ઉચ્ચ સંસ્કારને પ્રતાપે જ શ્રી વજસ્વામી આદિ મહાપુરુષોને નાની ઉંમરમાં પણ સંયમ સાધનાનો ઉત્તમ અવસર મળ્યો હતો. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે પાછલા ભવમાં ખરાબ સંસકારે પડયા હોય તો તેવા જ સંસ્કારને ગોશાલા વગેરેના દષ્ટાંતે ભવાંતરમાં અનુભવ થાય છે. હાલિકના પૂર્વ સંસ્કાએ જોર કર્યું અને તે પ્રભુ વિરને જોઈને સંયમ છોડીને નાશી ગયો.
શ્રી વીરનિર્વાણુ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ શ્રી ગૌતમ મહારાજે પચાસ વર્ષની ઉંમર વીત્યા બાદ એકાવનમા વર્ષે દીક્ષા ગ્રહણ કરીને ત્રીશ વર્ષ સુધી એટલે ૮૦ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી છદ્મસ્થભાવે પ્રભુ શ્રીવીરની સેવા કરી અને આત્માને નિમલ કર્યો. ૮૧માં વર્ષના પ્રારંભમાં તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. તે પ્રસંગ આ પ્રમાણે છે. પોતાનો નિર્વાણ સમય નજીક જાણીને પ્રભુ મહાવીરદેવે “ ગૌતમને મારી ઉપર અત્યન્ત રાગ છે, માટે મારાથી દૂર હશે તે જ તેને કેવલજ્ઞાન થશે.” એમ જાણીને શ્રીગૌતમને નજીકના કેઈક ગામમાં રહેતા વશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા ફરમાવી. તે પ્રમાણે
છે તેને પ્રતિબંધ પમાડી પાછા ફરતાં રસ્તામાં તેમણે પ્રભુના પંચમ નિર્વાણ કલ્યાણ માટે આવેલા દેવાના કહેવાથી પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણના સમાચાર જાગ્યા. તેમને અસહ્ય ખેદ થયો અને તે સ્તબ્ધ થઈ ગયા. તેઓ ખિન્ન હૃદયે જ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org