Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ભૂમિકા
૨૯
લેવામાં નિરપાય છે. “ભૂતકાળ વર્તમાનમાં અને ભવિષ્યમાં બંધબેસતો ન થાય.” આવી વાતો પણ કાને ધરવા જેવી નથી, કેમ કે, કેટલાક કલ્યાણ માર્ગો ત્રણેય કાળ માટે લાભકારક
સંભવે છે. ૧૨. કેટલાક સામાયિકને બદલે ધ્યાન કરે છે, કેટલાક પ્રતિક્રમણને બદલે વાંચવું પસંદ કરે છે.
તેમાં દોષ છે. સામાયિકની સાથે આજના ધ્યાન ઘટાવી શકાય નહીં તેમજ પ્રતિક્રમણ સાથે વાચનને ઘટાડી શકાય નહિ. ધ્યાનનો અભ્યાસ કરવો હોય, તો ભલે કરો. વાંચવું હોય તો ભલે વાંચો, પણ આ બેને બદલે તે કરવાની વાત પણ ન કરો.
આચાર ખાતર, કુટુંબમાં ઉત્તરોત્તર વારસો ચાલુ રાખવા ખાતર પણ અનિચ્છાએ પણ ડાહ્યા માણસોએ ક્રિયા ચાલુ રાખવી. તો જ શાસન અને જૈન ધર્મ તરફની વફાદારી જળવાય છે. ન થાય તો કરનારની અનુમોદના કરવી. તે ક્રિયા થતી હોય તેવાં સ્થળોનો પરિચય રાખવો, તેમાં આરાધના છે. કેમ કે, તેથી કોઈક વખત ઈચ્છા થાય. તેમાં અંતરાય પાડનારી પ્રવૃત્તિ તરફ પગલું ભરવામાં પણ મહા વિરાધના છે. હિંસા કરતાં પણ મિથ્યાત્વ
મોટામાં મોટું પાપ છે. સન્માર્ગરોધક-ઉન્માર્ગને પોષણ એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. ૧૩. પણ ચાલુ વિધિઓનો સંક્ષેપ આ સમુદાય માટે કરી શકાય નહિ. ચાલુ છે, તે જ બરાબર
ઘટતા જ વિધિઓ છે. ૧૪. હંમશ મુજબ પ્રતિક્રમણ કરનારને કોઈ એવા સંજોગ વિશેષમાં વ્યક્તિગત સંક્ષેપમાં કરવું
હોય, તો ગુરુગમથી તેવો વિધિ કદાચ જાણી શકાય. ૧૫. આવશ્યક ક્રિયા કરવા બાબત શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ નીચેના શબ્દોમાં ભાર મૂકે છે. તે ખાસ જાણવા જેવા શબ્દો હોવાથી અને અર્થ સાથે આપવામાં આવે છે.
પદ રાગ - બિહાગડો
સબલ યા છાક મોહ – મદિરાકી, ટેક. મિથ્યા મતિ કે જેરે ગુરુકી વચન શક્તિ જિહાં થાકી. સ. ૧ નિકટ દશા છાંડ, જડ ઉચી દષ્ટિ દેત હે તાકી; ન કરે કિરિયા, જનકું ભાખે,–“નહિ ભવ થિતિ પાકી.” સ૨ ભાજન ગત ભોજન કોઉ છાંડી, દસતર જિઉ દોરે; ગ્રહત જ્ઞાન હું કિરિયા ત્યાગી, હોત ઓરકી ઓરે. સ. ૩ જ્ઞાન બાત નિસુની સિર ધૂને, લાગે નિજ મતિ મીઠી; જે કોઉ બોલ કહે કિરિયા કો, તો “માને નૃપ ચીઠી.” સ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org