________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
પ્રશિષ્ય તરીકે આપખુદીથી દીક્ષા આપીને સંમેલનના સમસ્ત ઠરાને ફેક બનાવી દીધેલ. તેઓશ્રી પ્રતિ પૂ. આત્મારામજી મ.શ્રીના આજ્ઞાવર્તિ પૂ. સમસ્ત મુનિવરોને આજે પણ નફરત હેવાનું મુખ્ય કારણ આ છે. સિવાય આત્માર્થી સાધુઓને અંગત વિર-ઝેર તે શું જ હોઈ શકે?
આપસી અંતરકલશની શરૂઆત ત્યારથી પ્રારંભીને સં. ૧૯૭૮ સુધીમાં તે પૂ. પં. શ્રી દાનવિજયજી મ., ૬-૭ શિષ્ય-પ્રશિષ્ય પણ ધરાવતા થઈ ગયેલ. સં. ૧૯૭૬ માં ગુરુમ, સ્વર્ધામી થવાથી સ્વતંત્ર બનેલ. પરિ ણામે પિતાના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજીને ૧૯૭૬માં ગણિ પણ બનાવી લઈને વધુ પગભર થએલ. અને તે ગુરુ-શિષ્ય બંનેને પિતાની જે વ્યાખ્યાનની અનાવડત ખટકતી હતી, તે ખટક પણ પ્રશિષ્ય મુનિશ્રી રામવિજયજી, સામાન્યતયા ભણું– ગણીને સમર્થ વ્યાખ્યાતા તરીકે તૈયાર થઈ ગએલ હોવાથી દૂર થઈ જવા પામેલ ! એટલે તે પૂ. આત્મારામજી મ. શ્રીના વિશાલ મુનિગણની પિતાના પ્રતિની નફરતની પૂ. પં. શ્રી દાનવિ. એ પરવા જ તજી દીધેલ! આપસી અંતરકલેશની જમાવટ અહિંથી થવા પામીઃ જે સહુ કઈ સજજનને દુઃખદ છે. એ સ્થલનું ચાતુર્માસ પણ તે મુનિશ્રીને આભારી હતું.
પૂ. પં શ્રી દાનવિ. મ. તથા મુનિશ્રી પ્રેમવિ. મ, જેને જગતમાં અદ્યાપિપર્યત જે તેવા સામુદાયિક કલેશત્પાદક તરીકે લેખાઈ જવાને કારણે એક ખૂણના સાધુઓ તરીકે લેખાઈ જવા પામ્યા હતા, તે મુનિશ્રી રામવિજયજી મહારાજશ્રીની અજબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com