Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 10
________________ પ્રશમરતિ (૧) क्रोधः परितापकरः सर्वस्योद्वेगकारकः क्रोधः । वैरानुषङ्गजनकः क्रोधः क्रोधः सुगतिहन्ता ।। અર્થ : ક્રોધ દોષ ચાર મોટા નુકસાનો કરે છે. (૧) ક્રોધ દોષ ક્રોધ કરનારાને જ પુષ્કળ માનસિક પીડા આપે છે. (૨) ક્રોધ બધાયને ઉદ્વેગ પમાડે છે. (૩) ક્રોધ વેરની પરંપરાઓ ઊભી કરે છે. (૪) ક્રોધ સદ્ગતિની પ્રાપ્તિ અટકાવી દુર્ગતિમાં મોકલે છે. (२) श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविघ्नस्य । मानस्य कोऽवकाशं मुहूर्तमपि पण्डितो दद्यात् ।। અર્થ : આ અહંકાર પણ કેવો ભયંકર ! અહંકારી માણસ બીજાઓ પાસેથી શ્રુતજ્ઞાન પામી ન શકે. કોઈને પોતાની શંકાઓ ન પૂછે એટલે એનું શ્રુત તો દૂષિત જ થાય. અહંકારીનો સદાચાર પણ શોભતો નથી. અહંકારીઓ ગુર્વાદિનો વિનય પણ ન કરે. અહંકાર ધર્મ, અર્થ અને કામ ત્રણેયમાં વિઘ્નરૂપ છે. આ બધું જાણીને કયો પંડિત પુરુષ એક મુહૂર્ત માટે પણ અહંકારને પોતાના આત્મામાં રહેવાની જગ્યા આપે? (३) मायाशीलः पुरुषो यद्यपि न करोति किञ्चिदपराधम् । सर्प इवाविश्वास्यो भवति तथाप्यात्मदोषहतः || અર્થ : જે પુરુષ માયા કરવાના સ્વભાવવાળો થઈ ગયો હોય તે કોઈક અપરાધ કરે કે ન કરે તો ય બધા લોકો એને શંકાની નજરથી જ જુએ. કોઈ એના ઉપર વિશ્વાસ ન ચૂકે. સાપ ભલે ને શાંતિથી બેઠો હોય તો પણ ડંખ મારવાના એના સ્વભાવને જાણનારાઓ એની શાંત મુદ્રામાં વિશ્વાસ મૂકે ખરા ? सर्वविनाशाश्रयिणः सर्वव्यसनैकराजमार्गस्य । (૪) लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् ।। અર્થ : લોભ એ ધન, આયુષ્ય વગેરે તમામ વસ્તુઓના વિનાશનું +†††††††††††††††††||||||††††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷||||||||||||||||||||||♪♪♪♪♪♪♪♪♪♪♪♪|÷÷÷÷÷÷÷÷+++++++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (પ્રશમરતિ)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 178