________________
૧૪
વતનદાર અને જાગીરદારની સાંકળ આવી રહેતી. દરેક વતનદાર કે જાગીરદાર પિતાના ઉપરી સરદારને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરતે, પણ તે લોકો પર રાજાને અધિકાર ચાલતો નહિ. જરૂરને પ્રસંગે રાજાને લશ્કર મળે, એ સિવાય તેની પાસે બીજી સત્તા થોડી હતી. દરેક અમીર પોતાના પ્રાંતમાં ન્યાયાધીશ, સેનાપતિ, રક્ષક, અને જમીન માલિક હતો. તે દિવાની અને ફેજદારી સત્તા ભોગવતે. તે ખાનગી સિક્કા પાડી શકત. તે રાજાને પૂછ્યા વિના બીજા અમીર જોડે લડાઈ પણ કરી શકતો. આમ દરેક અમીર ખરી રીતે એક માંડલિક રાજા હતો. આથી રાજાની સત્તાનો આધાર આવા જોરાવર અમીરેની વફાદારી પર રહેતો. રાજા બળવાન હોય અને અમીરે પર દાબ રાખે, તે દેશમાં સંપ રહે. તેમ ન હોય તે અંદર અંદર ઝગડો થતું, અને તે અટકાવવાનું કંઈ પણ સાધન રાજા પાસે નહોતું; કેમકે લશ્કર તો પિતાપિતાના ઉપરી અમીરની આજ્ઞામાં રહેતું. જે અમીર પિતાના જાગીરદારોને વશ રાખી શકે, તોજ પરગણાંમાં સુવ્યવસ્થા જળવાતી. યૂડલ ધારાના મૂળભૂત સિદ્ધાન્તો બે હતાઃ (૧) જમીન લેવી અને તેના બદલામાં જમીન આપનાર ઉપરી પ્રત્યે વફાદાર રહેવું. (૨) જરૂર પડે ત્યારે ઉપરીની લશ્કરી નોકરી બજાવવી, અને પ્રસંગોપાત નાણાં આપવાં.
યુરેપનાં ઘણાં રાજ્યમાં આ ધારા પ્રાચીન કાળથી ચાલ્યો આવતો હતો. જે જમાનામાં દેશનો મુખ્ય ઉદ્યોગ ખેતીનો હતો, અને દેશમાં સુવ્યવસ્થા જાળવી શકે એવી પ્રબળ રાજસત્તા નહોતી. તે વખતે આવા જાગીરદારે લેકાના જાનમાલનું રક્ષણ કરી શકે એ ખરું; પણ આખરે ચૂડલ પદ્ધતિનું એક અનિષ્ટ પરિણામ આવ્યું: દેશમાં અમીરે એટલા તે બળવાન થઈ પડયા, કે રાજા પણ તેમનાથી દબાઈ જતો, અને તેની સત્તા નામની જ ગણાતી.
ફ્યુડલ પદ્ધતિથી ફ્રાન્સની જે દુર્દશા થઈ હતી, તેને અનુભવ વિલિયમને પુરેપુર હતું. આથી તેણે ફ્યુડલ પદ્ધતિમાં થોડા ફેરફાર કર્યો. જે સરદારે હેલ્ડના પક્ષમાં રહી તેની વિરુદ્ધ લડયા હતા, તેમની જાગીરો તેણે ખાલસા કરી, અને તે પિતાના અમીરોને વહેંચી આપી. કઈ પણ અમીરની સત્તા વધી ન પડે, તેટલા માટે તેણે બધી જાગીરે એકજ સ્થળે ન સોંપતાં છૂટક છૂટક આપી. અત્યાર સુધી દરેક જમીનદાર પિતાના ઉપરીને