________________
ન હેસ્ટિંગ્સના યુદ્ધમાં ઇંગ્લેન્ડે પિતાની સ્વતંત્રતા ગુમાવી. આ નર્મન વિજય કંઈક જુદા પ્રકારને હતો, પણ નર્મન રાજાઓએ અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢયા નહિ, ઉલટું તેમનું રક્ષણ કર્યું. તેમના જુના કાયદા સ્વીકાર્યા, અને તેમની જોડે સંબંધ બાંગે. વિલિયમ ૧લાએ તો અંગ્રેજ મહાજન પાસેથી જ ગાદી મળી હોય, એ દેખાવ સુદ્ધાં કર્યો. વિલિયમઃ ૧૦ ૬૬-૧૦૮૭. નર્મડીને ઠાકર (Duke) વિલિયમ
હેસ્ટિંગ્સના યુદ્ધમાં હેરોલ્ડને હરાવી ઇંગ્લેન્ડને રાજા થયો. ગાદીએ આવતાની સાથે જ તેણે એવો નિશ્ચય કર્યો કે દેશમાં અખંડ સત્તા તેની એકલાનીજ હોવી જોઈએ, અને બધી પ્રજ તેને જ સ્વામી માને તેમ થવું જોઈએ. તે ચતુર, દીર્ધદશી અને નિપુણ રાજતંત્રી હતા. તેમ છતાં તેની રાજ્યનીતિથી પ્રજાના સ્વતંત્ર જીવનને નાશ થશે.
ફયૂડલ ધારે (Feudal
System) વિલિયમની રાજ્યવિલિયમ ઉલે
વ્યવસ્થા સમજવા માટે યૂડલ ધારા વિષે કંઈક જાણવું જોઈએ. એને “લશ્કરી જાગીરદારને ધારે” કહીએ તો પણ ચાલે. કોઈ રાજા નો દેશ છે, ત્યારે તેમાંથી અમુક ભાગ પતે રાખે, અને બાકીની જમીન અમીરોને વહેંચી આપેઃ સરત માત્ર એટલીજ હોય કે જરૂરને પ્રસંગે અમુક માણસો લઈને અમીરે વર્ષમાં ચાલીસ દિવસ રાજાની મદદે આવવું, અને કઈ કઈ પ્રસંગે રાજાને નાણાં આપવાં. આ અમીરે પિતાને મળેલી જાગીરે એજ સરતે નાના જાગીરદારેને વહેંચી આપતા; અને નાના જાગીર નાના વતનદારોને વહેંચતા; આમ બધી જમીન વહેંચાઈ જતી, એટલે રાજા અને ખેડુતો વચ્ચે નાના મોટા અનેક
૬,
દી