________________
ઑકટોબરની ૧૪મી તારીખે હેસ્ટિંગ્સથી સાત માઈલ દૂર આવેલી એક ટેકરી પર નર્મને અને અંગ્રેજો વચ્ચે જીવ સટોસટની લડાઈ થઈ. અંગ્રેજોને તે જીવનમરણને સવાલ હતો. મરવું કે મારવું એવો નિશ્ચય કરીને તેઓ લડતા હતા, એટલે તેમને તેમને હરાવી શક્યા નહિ. આખો દિવસ બંને પક્ષ મરણઆ થઈને લડયા. અંતે સંધ્યાકાળના ઝાંખા અજવાળામાં હેલ્ડ પડયે, તે સાથે અનેક ફરસીવાળા દ્ધા પિતાના રાજાના મૃત દેહ પાસે દેશની ખાતર પ્રાણ સોંઘા કરતા ટપોટપ પડ્યા. વિલિયમ જ તેની સામે થનાર કેઈ રહ્યું નહિ. પિતાના વિજયના સ્મારક તરીકે એ યુદ્ધક્ષેત્રની પાસે તેણે એક મઠ બંધાવ્યું, અને તેનું નામ “Battle Abbey” પાડ્યું. તે મઠનાં ખંડેરે આજે પણ એ યુદ્ધની યાદ આપે છે. - પછી વિલિયમ લંડન તરફ ગયે. હેરોલ્ડના મરણના સમાચાર સાંભળી લેકેએ એક સેકસન રાજકુમારને ગાદી આપવાનું ઠરાવ્યું. પરંતુ વિલિયમ લંડન આવ્યું, ત્યારે સૌ કોઈ તેનાથી દબાઈ ગયા, અને મહાજને તેને ગાદી આપી. આમ વિલિયમ રાજા તે થયો, તે પણ લેકે કંઈ તેને એકદમ તાબે થયા નહિ. તેણે છ વર્ષના અખંડ પરિશ્રમથી ઇંગ્લેન્ડમાં નર્મન વંશની અવિચલ સ્થાપના કરી.
મન વશ. ઇ. સ. ૧૦૬૬–૧૫૪
- વિલિયમ ૧લે [ ૧૦૬૬–૧૦૮૭ ].
વિલિયમ રજે [૧૦૮૭–૧૧૦૦]
હેનરી ૧લે
રાજકુંવરી એડેલા | [૧૧૦૦-૧૧૩૫]
સ્ટીફન રાજકુંવરી મટિલ્ડા [૧૧૩૫–૧૧૫૪] [ આંજૂના અમીર જોડે લગ્ન કર્યું.]
હેનરી રજે [પ્લેટેજીનેટ વંશને પહેલે રાજા