________________
એક ભાઈ ટેસ્ટીગને એક પરગણું આપ્યું, પણ ત્યાંના લેકેએ બળવો કરી તેને હાંકી કાઢ્યો. એથી ટોસ્ટીગ હેરાલ્ડને શત્રુ બને, અને તેનો નાશ કરવાની પેરવી કરવા લાગે.
' હેરોલ્ડઃ એડવર્ડ ભગતને સંતાન ન હતું, એટલે માણસમયે તેણે પિતાના ઉત્તરાધિકારી તરીકે હેરલ્ડનું નામ સૂચવ્યું, અને મહાજને (witan) પણ હેરાલ્ડને ગાદીવારસ ઠરાવ્યું. પરંતુ આવી રીતે મેળવેલી રાજસત્તાને વૈભવ તે ભેગવી શકયો નહિ; કારણ કે તેના રાજ્યાભિષેકના સમાચાર સાંભળી નર્મડીના ઠાકર (Duke) વિલિયમે ગાદીને દાવો કર્યો. ગાદી પર કોણ આવે, તેને નિર્ણય કરવાનું કામ મહાજનનું હતું. પરંતુ વિલિયમે તે હેરલ્ડ પર વિશ્વાસઘાતનો આરોપ મૂકો, અને ધર્મયુદ્ધ માટે પિપને આશીર્વાદ મેળવી તેણે મોટા સૈન્ય સાથે ઈંગ્લેન્ડ પર ચઢાઈ કરી. ઈરલેન્ડના અમીરોની મદદ લઈને હેરાલ્ડ પણ તૈયાર થયો. પરંતુ એટલામાં એક અણધારી આફત આવી પડી. હેરલ્ડને ભાઈ ટોટીગ નેર્વેના રાજાની મદદ લઈ ઈંગ્લેન્ડ પર ચઢી આવ્યો. હેરોલ્ડ તેની જોડે લડે, અને યુદ્ધમાં ટેસ્ટીંગ અને તેને રાજા બંને મરાયા. પરંતુ આ યુદ્ધ ચાલતું હતું, તે દરમિઆન ઈંગ્લેન્ડના દક્ષિણ કિનારા પર નોર્મન લશ્કર ઉતર્યું, તેને હેરલ્ડ અટકાવી શકે નહિ. | હેસ્ટિંગ્સનું યુદ્ધઃ ઈ. સ. ૧૦૬૬. હેરાલ્ડ એક યુદ્ધમાંથી છુટો થયો કે તરતજ નર્મનોની જોડે લડવા દક્ષિણમાં ગયો. તેનું લશ્કર નાનું અને થાકેલું હતું. તેના અનેક દ્ધાઓ મરી ખૂટયા હતા, અને નોર્મન તીરંદાજોના ધસારા સામે અંગ્રેજોથી ટકી શકાય એમ ન હતું. . સ. ૧૦૬૬ના
૧. આ યુદ્ધ ડેર્વેન્ટ નદી પર આવેલા સ્ટેમ્ફબ્રિજ પર થયું. બંને સૈન્ય સામસામાં ગોઠવાયાં, એટલે હેરલ્ડ વીસ ચુનંદા હૈદ્ધાઓને સાથે લઈ પોતાના લશ્કરમાંથી બહાર નીકળી મધ્યમાં આવ્યો. તેણે બૂમ મારી કહ્યું, “ગેડવિનનો પુત્ર ટેસ્ટીગ આ સૈન્યમાં છે?” ટેસ્ટીગ તરતજ બહાર આવીને બોલ્યો, “એ અહીં નથી, એમ કહી શકાય જ નહિ.” પછી હેડે કહ્યું, “ભાઈ ટેસ્ટીગ, ભાઈ ભાઈ જોડે લડે, તે કરતાં હું તને મારા રાજ્યનો ત્રીજો ભાગ આપું છું. તું સલાહ કર.” ટેસ્ટીગે પૂછયું; “અને મારા મિત્રને શું આપીશ?” “ઈંગ્લેન્ડની સાત ફીટ જમીન; એ બીજા કરતાં ઉંચો છે, તે કદાચ એકાદ ફુટ વધારે આપું.” -