________________
પ્રતિબિંબને પણ જોઈ શકે છે અને તેની પાસેથી કાંઈક ને કાંઈક મેળવી લે છે. એ વ્યક્તિ ક્યારેય ઉત્તમ કવિ નથી બની શકતી કે જે પ્રકૃતિનું અધ્યયન નથી કરતી. આજપર્યત કાવ્યની જે પરંપરા રહી છે, જેમણે કાવ્યમાં વિશેષતા પ્રાપ્ત કરી છે તેમણે પ્રકૃતિનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે. એમ લાગે છે કે માનતુંગસૂરિ ઉચ્ચ કક્ષાના કવિ છે. તેથી તેઓ પ્રકૃતિનું અધ્યયન કરી રહ્યા છે અને પ્રકૃતિનાં ઉપાદાનો દ્વારા સમસ્યાને ઉકેલી રહ્યા છે. સ્તુતિકારે સ્તુતિના મહત્ત્વનો અનુભવ કર્યો, સ્તુતિનું ઊંડાણ તથા તેની વિશાળતા જોઈને તેઓ અભય રહ્યા, ડર્યા નહિ. આ બંને વાતો તેમના માટે સહાયક બની અને તેનું પરિણામ એ આવ્યું કે તેમનું વિશિષ્ટ સ્તવન લોકો સમક્ષ પ્રસ્તુત થઈ શક્યું.
તા
8
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org